કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરી છે જેથી તે વાંચન માટે સરળ બને. યુએલટી 12:38 અને 40 ની કવિતાઓ સાથે આવું જ કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી છે.
કલમ 16 આ ઘટનાઓ પરનું એક વિવરણ છે. આ આખી કલમને સમાનતામાં મૂકવું શક્ય છે જેથી તેને વાર્તાના વર્ણનમાંથી અલગ કરી શકાય છે.
વ્યક્તિનું સ્વાગત કરવા અને સારું લાગે તે માટે યહૂદીઓ તે વ્યક્તિના માથા પર તેલથી અભિષેક કરતાં હતા. તેઓ વ્યક્તિના મૃત્યુ પછી તેના શરીરને દફનાવતા પહેલા તેના શરીર પર તેલ પણ લગાવતા હતા. પરંતુ તેઓ ક્યારેય પણ કોઈના પગમાં તેલ લગાવવાનુ વિચારતા નહિ, કેમ કે તેઓ માનતા કે પગ ગંદા છે.
ઈસુ યરૂશાલેમમાં પ્રાણી પર સવાર થઈને આવ્યા. આ રીતે તે એક રાજા જેવા હતા કે જે એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યા પછી એક શહેરમાં આવે છે. ઉપરાંત, જૂના કરારમાં ઇઝરાએલના રાજા ગધેડા પર સવાર થયા હતા. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવાર થયા. તેથી ઈસુ બતાવી રહ્યાં હતા કે તે ઇઝરાએલીઓનો રાજા છે અને તે બીજા રાજાઓ જેવો નથી.
માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ આ ઘટના વિષે લખ્યું છે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુને માટે ગધેડું લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને એક ગધેડું મળ્યુ. લૂકે લખ્યું કે તેઓ તેમની પાસે એક વછેરું લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે ત્યાં ગધેડું અને વછેરો બંને હતાં. કોઈએ ખાતરીપૂર્વક જાણ્યું નથી કે ઈસુ ગધેડા પર સવાર હતા કે વછેરા પર. જે રીતે યુએલટી માં દર્શાવેલ છે તેમ દરેક ઘટનાઓને સરખી દર્શાવ્યા કરતા આ દરેક ઘટના જેવી દેખાય છે તેવી જ અનુવાદ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 21:1-7) અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15
શાસ્ત્ર વારંવાર ઈશ્વરના મહિમાને મહાન ગૌરવ પ્રકાશ તરીકે વર્ણવે છે. જ્યારે લોકો આ અજવાળાને જુએ છે, ત્યારે તેઓ ડરતા હોય છે. આ અધ્યાયમાં યોહાન કહે છે કે ઈસુનો મહિમા એ તેમનું પુનરુત્થાન છે (યોહાન 12:16).
બાઈબલ વારંવાર અન્યાયી લોકો, જે લોકો ઈશ્વરને પ્રસન્ન કરતા નથી જાણે કે તેઓ અંધકારમાં ચાલે છે. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે જ તે પાપી લોકોને ન્યાયી બનવા, જે ખોટું કરી રહ્યાં છે તેઓને સમજવા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરવા કહે છે.. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tw?section=kt#righteous)
વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરેછે. એક વિરોધાભાસ 12:25 માં જોવા મળે છે: જે પોતાનો જીવ ચાહે છે તે તેને ગુમાવશે; પરંતુ જે આ જગતમાં તેના જીવનો દ્વેશ કરે છે તે તેને અનંતજીવન માટે બચાવી રાખશે. પરંતુ 12:26 માં ઈસુ સમજાવે છે કે કોઈનું જીવન અનંતજીવન સુધી સાચવી રાખવાનો અર્થ શું છે. (યોહાન 12: 25-26).
ઈસુ બેથાનીયામાં મોટી મિજબાનીમાં છે જ્યારે મરિયમ તેમના પગે તેલથી અભિષેક કરે છે.
લેખક ઘટનાના નવા ભાગને રજૂ કરે છે અને શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “ ફરી જીવંત કર્યો ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
તમે તેને આધુનિક માપમાં રૂપાંતરિત કરી શકો છો. લીટ્રા એક કિલોગ્રામના ત્રીજા ભાગનું હોય છે. અથવા તમે કોઈ એક પાત્ર જેમાં આટલું માપ સમાઇ શકે તેને દર્શાવી શકો. વૈકલ્પિક અનુવાદ: એક કિલોગ્રામ અત્તરનો ત્રીજો ભાગ અથવા અત્તરની શીશી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)
આ અતિ સુંદર સંગેમરમરનું પ્રવાહી હતું જેને સુગંધી ફૂલ અને પાનના તેલથી બનાવેલું હતું.
આ પ્રકારનું અત્તર નેપાળ, ચીન અને ભારતના પર્વતો પર થતા ગુલાબી, ઘંટડીના આકારના ફૂલોથી બનાવવામાં આવતું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેના અત્તરની સુગંધથી ઘર ભરાઈ ગયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પછીથી જેણે ઈસુની ધરપકડ કરવા ઇસુના શત્રુઓને મદદ કરી
આ અતિશયોક્તિ દર્શાવતો પ્રશ્ન છે. તમે તેને મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: આ અત્તર ત્રણસો દીનારમાં વેચી શકાયું હોત અને નાણાં ગરીબોને આપી શકાયા હોત! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તમે આંકડામાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: 300 દીનાર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
એક દીનાર એ ચાંદીની માત્રા હતી જે સામાન્ય કામદારનું એક દિવસના કામનું વેતન હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)
યોહાન સમજાવે છે કે કેમ યહૂદાએ ગરીબો વિષે પ્રશ્ન પૂછ્યો. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ દર્શાવવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તેને ગરીબોની ચિંતા હતી એટલા માટે નહિ પણ તે ચોર હતો તેથી આવું કહ્યું.
ઈસુ સૂચવે છે કે સ્ત્રીએ જે કર્યું તેને તેમના મૃત્યુ અને દફનની પૂર્વતૈયારી સમજવી. વૈકલ્પિક અનુવાદ: તેને મારી કેટલી કદર છે તે તેને બતાવવા દો! આ રીતે તેણીએ મારા શરીરને દફન માટે તૈયાર કર્યુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ સૂચવે છે કે ગરીબોને મદદ કરવાની તકો હંમેશા તમારી સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: "" ગરીબો તમારી મધ્યે હંમેશાં રહેશે અને ચાહો ત્યારે તેમને મદદ કરી શકો છો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ રીતે, ઈસુ સૂચવે છે કે તે મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ હું હંમેશાં તમારી સાથે રહેવાનો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા માટે થાય છે. અહીં યોહાન લોકોના એક નવા જૂથ વિષે જણાવે છે કે જે યરૂશાલેમથી બેથનિયા આવ્યુ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
લાજરસ સજીવન થયો તે સત્ય જાણીને ઘણાં યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
આ સૂચિત કરે છે કે ઘણાં યહૂદીઓ લોકો ઈસુ પર ઈશ્વરના પુત્ર તરીકે વિશ્વાસ કરતા હતા. વૈકલ્પિક અનુવાદ: ઈસુ પર વિશ્વાસ રાખતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ યરૂશાલેમ પ્રવેશ કર્યો અને લોકોએ તેમને રાજા તરીકે માનસન્માન આપ્યું.
લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
લોકોનું મોટું ટોળું
આનો અર્થ “ઈશ્વર હમણાં જ અમને બચાવો !”
ઈશ્વર દ્વારા વ્યક્તિનું ભલું થાય તેવી ઇચ્છાને પ્રગટ કરે છે..
અહીં નામ શબ્દ એ વ્યક્તિના અધિકાર અને સામર્થ્ય માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: "" પ્રભુને નામે જે આવે છે "" અથવા પ્રભુના સામર્થ્યમાં આવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં યોહાન પૃષ્ઠભૂમિ માહિતી આપે છે કે ઈસુને એક ગધેડો મળી આવે છે. તે સૂચવે છે કે ઈસુ ગધેડા પર બેસીને યરૂશાલેમમાં ફરશે. વૈકલ્પિક અનુવાદ: તેમને એક ગધેડું મળ્યું અને તેના પર બેસીને, શહેરમાં સવારી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોએ શાસ્ત્રમાં લખ્યું હતું તેમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
હે સિયોન પુત્રી એ ઉપનામ છે જે યરૂશાલેમના લોકોને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ઓ યરૂશાલેમના લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
લેખક યોહાન, શિષ્યોને પછીથી જે સમજાયું તે વિષેની પૃષ્ઠ માહિતી વાચકોને આપવા માટે અહીં અવરોધે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં ""એ વાતો "" શબ્દો એ શબ્દોનો ઉલ્લેખ કરે છે જે પ્રબોધકએ ઈસુ વિષે લખ્યું હતું.
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" ઈશ્વરે ઈસુને મહિમાવંત કર્યા ત્યારે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
એ વાતો"" શબ્દો જ્યારે ઈસુ યરૂશાલેમ પર ગધેડા પર સવાર થયા ત્યારે લોકોએ શું કર્યું હતું તેનો ઉલ્લેખ કરે છે (તેની પ્રશંસા કરે છે અને ખજૂરીની ડાળીઓ લહેરાવે છે).
મુખ્ય વર્ણનમાં વિરામ ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરેલ છે. અહીં યોહાન સમજાવે છે કે ઘણાં લોકો ઈસુને મળવા માટે આવ્યા કારણ કે તેઓને બીજાઓ દ્વારા જાણવા મળ્યું કે તેમણે લાજરસને મૃત્યુમાંથી સજીવન કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તેઓએ બીજાંઓ પાસેથી સાંભળયું કે તેમણે ચમત્કાર કર્યો છે
ચમત્કાર"" એ એવી ઘટના અથવા બનાવ છે કે જે સાબિત કરે છે કે કંઈક સાચું છે. આ ઘટનામાં, લાજરસને સજીવન કરવાનો “ચમત્કાર"" સાબિત કરે છે કે ઈસુ જ મસીહા છે.
ફરોશીઓ અહીં સૂચવે છે કે ઈસુને રોકવા અશક્ય છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે આપણે તેને રોકવા માટે કંઇ કરી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ફરોશીઓ તેમના આઘાતને વ્યક્ત કરવા માટે આ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે કે ઘણાંબધા લોકો ઈસુને મળવા માટે બહારથી આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે દરેકજણ તેમના શિષ્ય બની રહ્યાં છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)
અહીં જગત એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને (અતિશયોક્તિમાં) રજૂ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે સાંભળનારાઓ સમજી ગયા હશે કે ફરોશીઓ ફક્ત યહૂદીયાના લોકોની જ વાત કરી રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
હવે ચોક્કસ"" શબ્દસમૂહ એ વાર્તામાં નવા પાત્રોનો પરિચય આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)
યોહાન સૂચવે છે કે આ ગ્રીક લોકો પાસ્ખાપર્વ દરમિયાન ઈશ્વરનું ભજન કરવા જતા હતા. વૈકલ્પિક અનુવાદ: પાસ્ખાપર્વમાં ઈશ્વરનું ભજન કરવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ ગાલીલ પ્રાંતમાં આવેલું શહેર હતું.
ફિલિપ અને આન્દ્રિયા ગ્રીક લોકોની વિનંતી ઈસુને જણાવે છે કે તેઓ તમને મળવા ચાહે છે.આનું તમે ગર્ભિત શબ્દો ઉમેરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ગ્રીક લોકોની વાત તેઓએ ઈસુને જણાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ ફિલિપ અને આન્દ્રિયાને જવાબ આપવા લાગ્યા.
ઈસુ સૂચવે છે કે આવનાર દુ:ખસહન, મરણ અને પુનરુત્થાન દ્વારા ઈશ્વર માણસના પુત્રને મહિમાવંત કરે તે ઘડી આવી ગઈ છે. વૈકલ્પિક અનુવાદ: હું મરણ પામીને પાછો સજીવન (પુનરુત્થાન પામીશ) થઇશ કે તરતજ ઈશ્વર મને મહિમાવંત કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમારી ભાષા જે પ્રમાણે વર્ણન કરે છે તે રીતે અનુવાદ કરો જે નીચે મુજબ છે તે મહત્વપૂર્ણ અને સાચું છે. તમે યોહાન 1:51 માં ""ખચીત, ખચીતનું” અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
અહીં ઘઉંનો દાણો અથવા બીજ એ ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનનું રૂપક છે. જેમ બીજ રોપવામાં આવે છે અને તે છોડના રૂપમાં ઉગે છે જેને વધુ ફળ આવે છે, તેવી જ રીતે ઘણાં લોકો ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાન પછી તેમની પર વિશ્વાસ કરશે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં પોતાના જીવ પર પ્રેમ કરે છે નો અર્થ એ છે કે પોતાના શારીરિક જીવનને બીજાના જીવન કરતા અધિક મૂલ્યવાન ગણવું. વૈકલ્પિક અનુવાદ: જે કૉઈ પોતાના જીવનને બીજા કરતા વધારે મૂલ્યવાન ગણે છે તે અનંતજીવન પ્રાપ્ત કરશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં "" જે પોતાના જીવનો નકાર કરે છે"" તે જે કોઇ પોતાનાં જીવને બીજાના જીવ કરતા ઓછો મૂલ્યવાન ગણે છે તેને દર્શાવે છે . વૈકલ્પિક અનુવાદ: જે વ્યક્તિ પોતાના જીવન કરતાં બીજાના જીવનને વધુ મહત્વ આપે છે તે ઈશ્વર સાથે સદાકાળ જીવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ સૂચવે છે કે જેઓ તેમની સેવા કરશે તેઓ સ્વર્ગમાં તેમની સાથે રહેશે. વૈકલ્પિક અનુવાદ: જયાં હું સ્વર્ગમાં છું, ત્યાં મારો સેવક પણ મારી સાથે રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ નોંધ અતિશયોક્તિ દર્શાવતા પ્રશ્નના રૂપમાં દેખાય છે. જોકે ઈસુ વધસ્તંભને ટાળવાની ઇચ્છા રાખે છે તોપણ તે ઈશ્વરને આજ્ઞાકારી રહી અને મરવાનું પસંદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું પ્રાર્થના કરીશ નહિ કે ‘પિતા, મને આ ઘડીથી બચાવો!' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈશ્વરને માટે આ મહત્વું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં આ ઘડી એ ઉપનામ છે જે ઈસુ દુ:ખ સહન કરશે અને વધસ્તંભે મૃત્યુ પામશે તેને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં નામ શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમારો મહિમા દેખાય અથવા તમારો મહિમા પ્રગટ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આ ઈશ્વરની વાણીને રજૂ કરે છે. કેટલીકવાર લોકો ઈશ્વરનો સીધો ઉલ્લેખ ટાળે છે કારણ કે તેઓ તેમનો આદર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે આકાશવાણી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
ઈસુ સમજાવે છે કે શા માટે આકાશમાંથી વાણી થઈ.
અહીં આ જગત એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: "" હવે આ સર્વ લોકોનો ન્યાય કરવાનો સમય થઈ ગયો છે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં અધિકારી શેતાનનો ઉલ્લેખ કરે છે. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન કે જે આ જગત પર રાજ કરે છે તેના સામર્થ્યનો નાશ કરવાનો સમય હવે થઇ ગયો છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કલમ 33 માં યોહાન આપણને ઈસુએ પોતાને ઊંચો કરવા વિશે શું કહ્યું તેની પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અહીં ઈસુ પોતાના ક્રૂસારૉહણને દર્શાવે છે. તમે આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જ્યારે લોકો મને વધસ્તંભ પર ઊંચો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેમના ક્રૂસારૉહણને લીધે, ઈસુ દરેકને તેમના પર વિશ્વાસ કરવાનો માર્ગ પૂરો પાડશે.
યોહાન ઈસુના શબ્દોનું અર્થઘટન કરીને એવો અર્થ કરે છે કે લોકો તેમને વધસ્તંભ પર જડશે. વૈકલ્પિક અનુવાદ: તે કેવી રીતે મૃત્યુ પામશે તે લોકોને જણાવવા માટે આ કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
ઊંચો કરવૉ"" વાક્ય નો અર્થ છે કે વધસ્તંભે ચડાવવું. તમે આનો અનુવાદ એવી રીતે કરી શકો છો જેમાં ગર્ભિત શબ્દો વધસ્તંભ પર હોય. વૈકલ્પિક અનુવાદ: માણસનો પુત્ર વધસ્તંભ પર ઊંચો કરાવો જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માણસના આ પુત્રની ઓળખ શું છે? અથવા 2) તમે કયા પ્રકારના માણસના પુત્રની વાત કરો છો?
અહીં “અજવાળું” એ ઈસુના ઉપદેશોનું રૂપક છે જે ઈશ્વરના સત્યને જાહેર કરે છે. અંધકારમાં ચાલવું એ એક રૂપક છે જેનો અર્થ થાય છે ઈશ્વરના સત્ય વિના જીવવું . વૈકલ્પિક અનુવાદ: ""મારા શબ્દો તમને પ્રકાશરૂપ છે, જે તમને ઈશ્વરની ઇચ્છા મુજબનું જીવન જીવવામાં મદદ કરશે. હું તમારી સાથે વધારે સમય રહેવાનો નથી. હું તમારી સાથે છું ત્યારેજ તમારે મારી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે. જો તમે મારા વચનોને નકારી કાઢશો, તે અંધકારમાં ચાલવા જેવું થશે અને તમે ક્યાં જઈ રહ્યાં છો તેની તમને ખબર પડશે નહિ ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
પ્રકાશ"" ઈસુના ઉપદેશોનું રૂપક છે જે ઈશ્વરના સત્યને જાહેર કરે છે. પ્રકાશના પુત્રો તે લોકો માટે એક રૂપક છે જેઓ ઈસુના સંદેશાને સ્વીકારે છે અને ઈશ્વરના સત્ય પ્રમાણે જીવે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાંસુધી હું જે શીખવું છું તેની પર વિશ્વાસ કરો જેથી ઈશ્વરનું સત્ય તમારામાં રહે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
યશાયા પ્રબોધકે કરેલી ભવિષ્યવાણીઓની પૂર્તિ વિષે યોહાન સમજાવવાનું શરૂ કરે છે ત્યારે આ મુખ્ય વાર્તામાં એક વિરામ છે.
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: યશાયા પ્રબોધકનું વચન પૂર્ણ કરવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
લોકો તેના સંદેશાને માનતા નથી તે પ્રત્યે પ્રબોધકની નારાજગી વ્યક્ત કરવા માટે અતિશયોક્તિવાળા બે પ્રશ્નો દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તમારાં પરાક્રમ વડે તમે તેઓને બચાવી શકો છો એવું જોયાં છતાં ભાગ્યેજ કોઈએ આપણા સંદેશ પર વિશ્વાસ કર્યો હશે !"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ ઉપનામ છે જે દર્શાવે છે કે ઈશ્વર બચાવવાને સામર્થ્યવાન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં હૃદય એ કોઈ વ્યક્તિના મનનું ઉપનામછે. ""તેઓનાં મન જડ કર્યા છે "" આ વાક્ય કોઈને હઠીલું બનાવવા માટેનું રૂપક છે. ઉપરાંત, તેમના હૃદયથી સમજવું નો અર્થ ખરેખર સમજવું છે. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેઓને હઠીલા કર્યા છે... ખરેખર સમજે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં "" પાછા ફરે"" એ પસ્તાવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: અને તેઓ પસ્તાવો કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તમે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેથી લોકો તેમને સભાસ્થાનમાં જતા અટકાવશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેઓ લોકો પાસેથી પ્રસંશા ઇચ્છે છે અને ઈશ્વર પાસેથી પણ પ્રસંશા ઇચ્છે છે.
હવે યોહાન મુખ્ય વાર્તા તરફ પાછા ફરે છે. આ બીજો સમય છે જ્યારે ઈસુ લોકોને બોધ આપવાનું શરૂ કરે છે.
અહીં યોહાન સૂચવે છે કે ઈસુની વાત સાંભળવા લોકોનું ટોળું એકઠું થયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ એકઠા થયેલા ટોળાને પોકારીને કહ્યું કે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં તેને શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે મને જોયો છે, તેણે મને મોક્લનાર ઈશ્વરને જોયા છે
ઈસુ લોકોના ટોળા સાથે વાત કરવાનું ચાલું રાખે છે.
અહીં પ્રકાશ ઈસુના ઉદાહરણ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: હું સત્ય પ્રગટ કરવા આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં અંધકાર એ ઈશ્વરના સત્યની અજ્ઞાનતામાં જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: આત્મિકરીતે અંધ રહી શકે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં જગત એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
અહીં જગતનો ન્યાય કરવા એ દોષિત ઠરાવવાને દર્શાવે છે. ઈસુ લોકોને દોષિત ઠરાવવાને આવ્યા ન હતા. વૈકલ્પિક અનુવાદ: જે કોઈ મારું શિક્ષણ સાંભળે છે અને તેને નકારે છે, તો હું તેને દોષિત ઠરાવતો નથી. હું લોકોને દોષિત ઠરાવવાને આવ્યો નથી. તેના બદલે, હું મારા પર વિશ્વાસ કરનારા લોકોનો ઉધ્ધાર કરવા આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જે સમયે ઈશ્વર લોકોના પાપોનો ન્યાય કરશે
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
હું જાણું છું કે તેમણે મને જે વચનો જણાવવાને આજ્ઞા કરી છે તે વચનો અનંતજીવન આપે છે