કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને આવૃત્તિના અન્ય લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. 26:31 માંની કવિતાની ગોઠવણ યુએલટી આ પ્રમાણે કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવાયેલા છે.
ઘેટાં શાસ્ત્રમાં વપરાયેલી એક સામાન્ય છબી છે જેનો ઉલ્લેખ ઇઝરાએલના લોકો માટે થયો છે. માથ્થી 26:31, જો કે, ઈસુએ તેમના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ઘેટાં શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે જ્યારે તેમની ધરપકડ થશે ત્યારે તેમના શિષ્યો ભાગી જશે.
જ્યારે ઈશ્વરે મિસરીઓના પ્રથમ જન્મેલા નર બાળકોનો નાશ કર્યો પરંતુ ઇઝરાએલીઓ “પરથી પસાર” થઈ તેઓના પ્રથમજનિતોને જીવંત રાખ્યા તે દિવસ યાદમાં પાસ્ખા પર્વના તહેવારની ઉજવણી કરાય છે.
માથ્થી 26:26-28 ઈસુના તેમના અનુયાયીઓ સાથેના છેલ્લા ભોજનનું વર્ણન કરે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ(શિષ્યો) જે ખાતા અને પીતા હતા તે તેમનું શરીર અને તેમનું રક્ત હતું. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ છેલ્લું ભોજન, ધાર્મિક સંસ્કાર, અથવા પવિત્ર મેજની સંગત ની ઉજવણી કરે છે.
માથ્થી 26:49 વર્ણવે છે કે યહૂદાએ ઈસુને ચુંબન કર્યું કે જેથી સૈનિકો જાણી શકે કે તેઓએ કોની ધરપકડ કરવાની છે. યહૂદીઓ એકબીજાને અભિવાદન કરતી વખતે એકબીજાને ચુંબન કરે છે.
બે માણસોએ ઈસુ પર આરોપ મૂક્યો કે યરૂશાલેમના મંદિરનો નાશ કરી પછી તેને ત્રણ દિવસમાં ફરીથી ઉભું કરવાનો દાવો ઈસુ કરતા હતા"" (માથ્થી 26:61). તેઓએ તેમના પર ઈશ્વરનું અપમાન કરવાનો આરોપ મૂકી કહ્યું કે ઈસુ કહે છે કે ઈશ્વરે ઈસુને મંદિરનો નાશ કરવાનો અને ફરીથી તેને બાંધવાનું સામર્થ્ય અને અધિકાર આપ્યો છે. ઈસુએ જે ખરેખર કહ્યું તે એ હતું કે જો યહૂદી અધિકારીઓ આ મંદિરનો નાશ કરવા માંગતા હોય, તો તેઓ(ઈસુ) ચોક્કસપણે તેને ત્રણ દિવસમાં ઊભું કરશે ([યોહાન 2:19] (../../jhn/02/19.md))
અહીં સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે, જે ઈસુના વધસ્તંભ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે જણાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે ઈસુ કેવી રીતે દુઃખ સહેશે અને મૃત્યુ પામશે.
પછી અથવા “પછી, ત્યારપછી."" આ શબ્દસમૂહ ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ વૃતાંતને આગળ લઈ જાય છે.
આ ઈસુએ માથ્થી 24:3 માં શરૂ કરેલી સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેટલાક માણસો માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે અન્ય લોકો પાસે લઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવા અને તેમને મારવા માટે જે યુક્તિઓ રચી હતી તેની પૃષ્ઠભૂમિકાની માહિતી આ કલમો આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: એકસાથે આવ્યા અથવા એકસાથે મળ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુએ ગુપ્તમાં
આ તહેવાર દરમિયાન આગેવાનો શું કરવા માંગતા ન હતા તે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તહેવાર દરમિયાન ઈસુને મારી નાખવો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
આ વાર્ષિક પાસ્ખા પર્વનો તહેવાર છે.
હવે ઈસુના મૃત્યુ પહેલા એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તર લઈને ઈસુ ઉપર રેડે છે તેનો વૃત્તાંત શરુ થાય છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
આ સૂચિત છે કે આ એ માણસ છે જેનો કોઢ ઈસુએ મટાડ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ તેમની જગ્યાએ બેઠા હતા. લોકો જયારે જમવા બેઠા હોય ત્યારે તેઓની શારીરિક મુદ્રા માટેના તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો.
તે સ્ત્રી ઈસુ પાસે આવી
આ એક મૂલ્યવાન અત્તર છે જેનો સંગ્રહ વર્ષો સુધી કરાયોછે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)
તેલ કે જેની સુંગધ પ્રશંસનીય છે
સ્ત્રી ઈસુને માન આપવા માટે આ કરે છે.
સ્ત્રીના કૃત્યો પ્રત્યે તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે શિષ્યો આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: આ મૂલ્યવાન અત્તરનો બગાડ કરી આ સ્ત્રીએ દુષ્ટ કામ કર્યું છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ અત્તરને મોટી કિંમતે વેચી તેણી તેના નાણાં ગરીબોને આપી શકી હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીંયા ગરીબ વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)
ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: તમેં આ સ્ત્રીને કેમ પરેશાન કરો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
“તમે”ના સર્વ શબ્દો બહુવચન છે જે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
આને એક વિશેષણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)
આ તેલ છે જેની સુંગધ પ્રશંસનીય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26: 7] (../26/07.md)માં કેવી રીતે કર્યો છે.
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે કોઈ સ્થળે લોકો આ સુવાર્તા પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ સ્ત્રીએ જે કર્યું છે તેને યાદ કરીને તેઓ અન્યોને તેણી વિશે જણાવશે અથવા આ મહિલાએ જે કર્યું છે તે લોકો યાદ કરશે અને તેના વિશે અન્ય લોકોને જણાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યહૂદી આગેવાનો સાથે ઈસુને મારી નાખવા માટે યહૂદા ઈશ્કારીયોત સહમત થાય છે.
ઈસુને તમારી પાસે લાવું
જેમ જૂના કરારની ભવિષ્યવાણીમાં છે તેમ જ આ શબ્દો છે, તેથી આ રૂપને આધુનિક નાણાંમાં બદલવાને બદલે તેનું તે જ રાખો.
30 નંગ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
ઈસુને તેઓને હવાલે કરવા માટે
ઈસુના તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે તે ઘટનાના વૃતાંતની શરુઆત અહીં થાય છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
અહીં અવતરણમાં અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણોને પરોક્ષ અવતરણ તરીકે નિર્દેશિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તેમણે તેમના શિષ્યોને શહેરમાં કોઈ ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષક કહે છે કે, 'મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સાથે તમારા ઘરે પાસ્ખાપર્વ પાળવાનો છું.' અથવા "" તેમણે તેમના શિષ્યોને શહેરમાં ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષકનો સમય નજીક છે અને તેઓ(ઈસુ) તેમના શિષ્યો સાથે તે માણસના ઘરે પાસ્ખાપર્વ પાળશે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મેં તમને જે સમય આપ્યો હતો તે અથવા 2) ""ઈશ્વરે જે સમય મારા માટે ગોઠવ્યો છે તે.
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમય પાસે છે” અથવા 2) “સમય આવ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
પાસ્ખાપર્વ ભોજન ખાય અથવા ""વિશિષ્ઠ ભોજન લઈને પાસ્ખા પર્વ ઉજવો
તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિ માટેના શબ્દનો ઉપયોગ કરો.
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
ચોક્કસપણે હું તે નથી, શું પ્રભુ હું તે છું? શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ અલંકારિક પ્રશ્ન છે કારણ કે પ્રેરિતોને ખાતરી છે કે તેઓ ઈસુને દગો દેશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: પ્રભુ, હું ક્યારેય તમને દગો દઈશ નહીં! અથવા 2) આ એક પ્રમાણિક પ્રશ્ન હતો કારણ કે ઈસુના નિવેદનથી તેઓ તકલીફ અનુભવતા હતા અને ગુંચવાયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
અહીંયા જવું એ મૃત્યુનો ઉલ્લેખ કરવા માટે એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: તેમના મૃત્યુ તરફ જશે અથવા મૃત્યું પામશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ શાસ્ત્રમાં પ્રબોધકોએ તેમના વિશે લખ્યું છે તેમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ જે માણસના દીકરાને પરસ્વાધીન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
રાબ્બી, શું હું તે છું જે તને દગો દેશે? યહૂદા એ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને પૂછે છે કે શું તે પોતે છે કે જે ઈસુને દગો દેશે. વૈકલ્પિક ભાષાંતર: રાબ્બી, નિશ્ચિતપણે હું તને દગો દેનાર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ જે કહી રહ્યા છે તે સબંધી સંપૂર્ણપણે સ્પસ્ટતા યહૂદાને દર્શાવ્યા વિના “હા” કહી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તું તે કહી રહ્યો છે અથવા તું તેનો સ્વીકાર કરી રહ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુ તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે ત્યારે પ્રભુ ભોજનની વિધિની સ્થાપના કરે છે.
જુઓ કે તમે આ શબ્દોનો અનુવાદ [માથ્થી 14:19] (../14/19.md)માં કેવી રીતે કર્યો.
[માથ્થી 14:19] (../14/19.md)માં જેમ અનુવાદ કર્યો તેમ અહીં અનુવાદ કરો. તેમણે હાથમાં પ્યાલો લીધો.
અહીં પ્યાલો એ પ્યાલા અને પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
શિષ્યોને આપ્યું
આ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવો
કેમ કે આ દ્રાક્ષારસ એ મારું રક્ત છે
રક્ત દર્શાવે છે કે કરાર અસરકારક છે અથવા ""રક્ત જે કરારને શક્ય બનાવે છે
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા શરીરમાંથી વહી જશે અથવા જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મારા ઘામાંથી બહાર વહી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રાક્ષારસ”. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
અહીંયા રાજ્ય એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે મારા પિતા પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
31 મી કલમમાં, ઈસુ ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના સંદર્ભમાં તેમના સર્વ શિષ્યો તેમને છોડી દેશે.
ઈસુ અને તેમના શિષ્યો જ્યારે જૈતુન પર્વત તરફ જાય છે ત્યારે પણ ઈસુ તેઓને શિક્ષણ આપવાનું જારી રાખે છે.
ઈશ્વરની સ્તુતિનું એક ગીત
મને ત્યજી દેશો
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઝખાર્યા પ્રબોધકે વર્ષો પહેલા શાસ્ત્રમાં લખ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે ઈશ્વર લોકોને કારણ બનાવશે અથવા લોકોને સમંતિ આપશે કે તેઓ ઈસુને નુકસાન પહોંચાડી તેમને મારી નાંખે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ રૂપકો છે જે ઈસુ અને શિષ્યોનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ઘેટાંના ટોળાને વિખેરી નાંખશે અથવા ઘેટાંના ટોળાઓ બીજી દિશામાં વિખેરાઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર મને પાછો ઉઠાડશે તે પછી અથવા ઈશ્વર મને જીવનમાં પાછા લાવશે તે પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
જુઓ કે તમે [માથ્થી 26:31] (../26/31.md)માં આનો અનુવાદ કેવો કર્યો છે.
હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.
સવારના સમયે સૂર્ય ઉગવાના સમયે જ મરઘો બોલે છે તેથી સાંભળનારાઓ આ શબ્દોને સૂર્યોદય માટેના એક રૂપક તરીકે સમજી શકે. જો કે, પાછળથી વૃતાંતમાં ખરેખર મરઘાનું બોલવું ભારદર્શક રીતે એક મહત્વપૂર્ણ ભાગ બને છે, તેથી અનુવાદમાં મરઘો શબ્દ રાખો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
નર મરઘો, જે પક્ષી સૂર્યોદય સમયે ઊંચા અવાજે પોકારે છે
અગ્રેજીનો આ એક સામાન્ય શબ્દ છે જે દર્શાવે છે કે પોતાનો અવાજ ઉંચો કરવા માટે મરઘો શું કરે છે.
મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીશ
ઈસુની ગેથસેમાનેની વાડીમાં પ્રાર્થના કરે છે, તે વૃતાંતની આ શરૂઆત છે
ઈસુ ખૂબ ઉદાસ થયા
અહીંયા આત્મા એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું શોકાતુર થયો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો જીવ મરવા જેવો શોકાતુર થયો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈસુ હેતુપૂર્વક જમીન સુધી મુખ નમાવીને પ્રાર્થના કરતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ઈસુએ જે કામ કરવાનું જ છે, વધસ્તંભ પરના મરણના સમાવેશ સાથે, તે વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પ્રવાહી હોય જેને પ્યાલામાંથી પીવા માટે ઈસુને ઈશ્વરે આજ્ઞા કરી હોય. નવા કરારમાં પ્યાલો શબ્દ મહત્વનો શબ્દ છે, તેથી તમારા અનુવાદમાં તેના માટે સમાન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીંયા પ્યાલો એ ઉપનામ છે જે પ્યાલો અને તેમાં રહેલા પદાર્થ માટે વપરાયો છે. પ્યાલો એ ઈસુએ જે દુઃખ સહન કરવાનું છે તેના રૂપક તરીકે દર્શાવાયો છે. ઈસુ પિતાને પૂછી રહ્યા છે કે જો શક્ય છે તો આ પ્યાલો કે જેમાં મૃત્યુ અને વેદના છે, જે ટૂંક સમયમાં બનનાર છે તેનો અનુભવ ઈસુએ કરવો પડે નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ સંપૂર્ણ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ મારી ઇચ્છા અહીં પરંતુ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ પિતર સાથે વાત કરી રહ્યા છે, પરંતુ તમે સર્વનામ બહુવચન છે, જે પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
પિતર, યાકૂબ અને યોહાનને ઠપકો આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિરાશ છું કે તમે એક ઘડીભર પણ મારી સાથે જાગતા રહી શકતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં અમૂર્ત નામ ""પરીક્ષણ""ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈ તમને પાપ કરવા માટે પરીક્ષણમાં ન લાવે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)
અહીંયા આત્મા એ એક ઉપનામ છે જે વ્યક્તિની સારી ઇચ્છાઓ માટે વપરાય છે. શરીર વ્યક્તિના શરીરની જરૂરિયાતો અને ઇચ્છાઓ માટે વપરાય છે. ઈસુનો અર્થ એ કે શિષ્યો પાસે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માટેની ઇચ્છા હોઈ શકે છે, પણ શરીર અબળ છે તેથી ઘણી વાર તેઓ નિષ્ફળ જાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
ઈસુ દૂર ગયા
માથ્થી 26:39માં આનું વર્ણન પ્રથમ વખત થયું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
હું આ પ્યાલો પીઉં તો જ તે પ્યાલો દૂર થાય તેમ એકમાત્ર માર્ગ હોય તો. ઈસુએ જે કામ કરવાનું છે તેના વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પીણું હોય જેને પીવાની આજ્ઞા ઈશ્વરે તેમને આપી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીંયા આ તે પ્યાલા અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે વેદના માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
હું તેમાંથી પીવું તે સિવાય અથવા જ્યાં સુધી હું આ વેદનાનો પ્યાલો પીવું નહીં. અહીંયા તે પ્યાલો અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે પીડા માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થાઓ અથવા તમારી ઇચ્છા પૂર્ણ થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ ભર નિદ્રામાં હતા.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આનું વર્ણન માથ્થી 26:39માં પ્રથમ વખત થયું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
ઈસુ શિષ્યોને ઊંઘતા જોઇને પ્રશ્નનો ઉપયોગ કરીને તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિરાશ છું કારણ કે તમે હજી ઊંઘો છો અને આરામ કરો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમય આવી પહોંચ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરી રહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
અહીંયા હાથો એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે અથવા પરસ્વાધીન કરાય છે જેથી પાપીઓ તેના પર અધિકાર ચલાવી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
હું તમને જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.
અહીં યહૂદા ઇશ્કારીયોત ઈસુને પરસ્વાધીન કરે છે અને ધાર્મિક આગેવાનોએ તેમની ધરપકડ કરી તેનું વર્ણન છે.
ઈસુ હજી વાત કરી રહ્યા છે તે દરમિયાન
યહૂદા અને વડીલો મારવાને માટે લાકડીઓ લઈને આવ્યા
અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી યહૂદા અને તેણે ઈસુને દગો દેવા માટે નક્કી કરેલ ચિહ્નની પૂર્વભૂમિકા વિશે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે કહ્યું કે હું જેને ચુંબન કરીશ તે જ તે છે તેને પકડી લેજો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
હું જેને ચુંબન કરું અથવા “જે માણસને હું ચુંબન કરું”
રાબ્બીને આ રીતે શુભેછા પાઠવવાની આ એક સન્માનિત રીત છે
યહૂદા ઈસુ પાસે આવ્યો
તેણે ઈસુને ચુંબન કર્યું. સારા મિત્રો એકબીજાના ગાલ પર ચુંબન કરશે, પરંતુ શિષ્ય શિક્ષકને આદર આપવા માટે તેમના હાથ પર ચુંબન કરશે. કોઈપણ જાણતું નથી કે યહૂદાએ ઈસુને ચુંબન કેવી રીતે કર્યુ.
અહીંયા તેઓ યહૂદા અને ધાર્મિક આગેવાનો સાથે ભાલા અને તલવારો લઈને આવ્યા તેમનો ઉલ્લેખ કરે છે.
ઈસુ પર હાથ નાખીને પકડી લીધા
અહીંયા જુઓ શબ્દ એ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે.
શબ્દ “તલવાર” એ કોઈને તલવારથી મારી નાખવો એનું રૂપક છે. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બીજાને મારી નાખવા માટે જે કોઈ તલવાર ઉઠાવે છે અથવા જે બીજા વ્યક્તિઓને મારી નાંખવા માંગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જેટલા તલવાર પકડે છે એટલા તલવારથી નાશ પામશે અથવા ""તલવાર--કોઈક તેમને તલવારથી જ મારી નાંખશે
તલવાર ઉઠાવેલ વ્યક્તિને ઈસુ પ્રશ્ન દ્વારા યાદ કરાવવા માંગે છે કે જેઓ તેમની ધરપકડ કરી રહ્યા છે તેઓને ઈસુ અટકાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસપણે તમે જાણો છો કે ,,,, હું દૂતોની ફોજ બોલાવી શકું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીંયા તમે એકવચન છે અને તે તલવારવાળા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
ફોજ"" લશ્કરી શબ્દ છે જે આશરે 6,000 સૈનિકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. ઈસુ કહે છે કે તેમને ધરપકડ કરનારાઓને રોકવા માટે ઈશ્વર દૂતોની ફોજ મોકલી શકે છે. દૂતોની ચોક્કસ સંખ્યા મહત્વપૂર્ણ નથી. વૈકલ્પિક ભાષાંતર: 12 કરતાં વધારે દૂતોની ફોજ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે શા માટે તેઓ(ઈસુ) આ લોકોને તેમની ધરપકડ કરવા દે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો હું તે કરું, તો શાસ્ત્રમાં ઈશ્વરે જે થવા સબંધી કહ્યું છે તે હું પૂર્ણ કરી શકીશ નહીં.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમની ધરપકડ કરનારાઓના ખોટા કૃત્યોને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જાણો છો કે હું ચોર નથી, તેથી મને પકડવા માટે તલવારો અને ભાલાઓ લઈને આવવું ખોટું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
લોકોને મારવા માટે લાકડીના જાડા અને લાંબા ટુકડાઓ
તે સૂચવે છે કે ઈસુ ખરેખર મંદિરમાં ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: શાસ્ત્રમાં પ્રબોધકોએ જે જે લખ્યું છે તે બધું હું પૂર્ણ કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જેનો અર્થ થાય કે, જ્યારે તેઓએ તેમની સાથે રહેવું જોઈતું હતું ત્યારે તેઓએ તેમને છોડી દીધા, તો તે શબ્દનો ઉપયોગ અહીં કરો.
અહીં યહૂદી ધાર્મિક આગેવાનો અને ન્યાયસભાની સમક્ષ ઈસુના પરીક્ષણની ઘટના શરુ થાય છે.
પિતર ઈસુની પાછળ ગયો
પ્રમુખ યાજકના ઘરની બહાર ખુલ્લી જગ્યાએ
પિતર ત્યાં અંદર ગયો
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી ઘટનાના નવા ભાગને રજુ કરે છે.
અહીં “તેઓ” તે મુખ્ય યાજકો અને સભાનો ઉલ્લેખ કરે છે.
કદાચ તેમને મારી નાખવાનું કારણ મળી શકે
બે માણસો આવ્યા અથવા “બે શાહેદીઓ આગળ આવ્યા”
જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે તેને એક અવતરણ તરીકે ફરીથી લખી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: આ માણસે કહ્યું કે હું મંદિરને તોડી પાડી તેને .... દિવસોમાં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
આ માણસ, ઈસુએ કહ્યું
ત્રણ દિવસની અંદર, સૂર્ય ત્રણ વખત અસ્ત થાય તે પહેલા, નહીં કે ત્રણ દિવસ પછી, સૂર્ય ત્રીજી વખત અસ્ત થાય પછી.
સાક્ષીઓએ જે માહિતી આપી છે તે વિશે મુખ્ય યાજક ઈસુને પૂછતા નથી. સાક્ષીઓએ જે કહ્યું તે ખોટું છે તે સાબિત કરવા યાજક ઈસુને પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે શાહેદીઓ તારી વિરુદ્ધ આરોપ મુકે છે ત્યારે તારો પ્રતિસાદ શું છે?
ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
અહીં જીવંત શબ્દ ઇઝરાએલના ઈશ્વર અને લોકો જેમને ભજે છે તેવા જુઠા દેવો અને મુર્તીઓ વચ્ચેનો ભેદ દર્શાવે છે. માત્ર ઇઝરાએલના ઈશ્વર જ જીવંત છે અને તેમની પાસે કાર્ય કરવાનું સામર્થ્ય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 16:16માં કેવી રીતે કર્યો છે.
આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ સંપૂર્ણ સ્પષ્ટતા કાર્ય વિના હા નો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: તું તે કહે છે અથવા તેં પોતે જ તે કબૂલ કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)
અહીં તમે બહુવચન છે. ઈસુ પ્રમુખ યાજક અને બીજા અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) હવે પછી શબ્દસમૂહ એક રૂપક છે જેનો અર્થ છે કે માણસના દીકરાને તેના પરાક્રમમાં ભવિષ્યના કોઈક સમયે તેઓ જોશે અથવા 2) હવેથી શબ્દસમૂહનો અર્થ છે કે ઈસુના પરીક્ષણના સમય અને ત્યારપછીથી, ઈસુ પોતાને સામર્થ્યવાન અને વિજયવંત મસીહ તરીકે રજૂ કરશે.
ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
અહીં સામર્થ્ય એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. ઈશ્વરના જમણા હાથ પર બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થાને બેસવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
આકાશમાં મેઘ પર આવતો જોશો
વસ્ત્રો ફાડવા એ ક્રોધ અને ઉદાસીનતાની નિશાની હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
મુખ્ય યાજકોએ ઈસુના નિવેદનને દુર્ભાષણ ગણ્યું કારણ કે તેઓએ કદાચ ઈસુના શબ્દોને [માથ્થી 26:64] (../26/64.md) પ્રમાણે ઈશ્વર સમાન દાવો કરનાર તરીકે સમજ્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
પ્રમુખ યાજક પ્રશ્નનો ઉપયોગ કરે છે અને કહે છે કે હવે આપણે બીજા કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર રહેતી નથી. વૈકલ્પિક ભાષાંતર: આપણે હવે કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં “તમે” શબ્દ બહુવચન છે જે સભાના સભ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “પછી કેટલાક માણસો” અથવા 2) “પછી સૈનિકો”.
આ અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું.
અહીં તે આપણાને કહી સંભળાવશે નો અર્થ કહેવું એટલે ઈશ્વરના સામર્થ્ય દ્વારા જણાવવું. અહીં ભવિષ્યમાં શું થશે તેમ કહેવાનો અર્થ નથી.
જે લોકો ઈસુને મુક્કીઓ મારતા હતા તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ તે ખ્રિસ્ત છે. તેઓ તેમના ઠઠ્ઠા અને મશ્કરી કરવા માટે તેમને આ રીતે બોલાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
આ ઘટનાઓ તે જ સમયે બને છે જ્યારે ધાર્મિક આગેવાનો સમક્ષ ઈસુ પર કાર્યવાહી ચાલી રહી હતી.
જેમ ઈસુએ કહ્યું હતું કે પિતર તેમનો નકાર કરશે, તે જ રીતે પિતર ઈસુનો ત્રણ વખત નકાર કરે છે, તે વૃતાંતની અહીં શરૂઆત થાય છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
દાસી જે કહી રહી હતી તેને પિતર સમજતો હતો. તેણે આ શબ્દો દ્વારા તે ઈસુ સાથે હતો તે વાતનો નકાર કર્યો.
જ્યારે પિતર બહાર ગયો.
જ્યારે તે પરસાળમાં બહાર ગયો
ત્યાં બેઠેલા લોકોને કહ્યું
તેણે ફરીથી સમ ખાઈને નકાર કર્યો, 'હું તે માણસને ઓળખતો નથી!'
તું પણ તેઓમાંનો એક છે
આનો અનુવાદ નવા વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું પણ ગાલીલથી છે તે અમે કહી શકીએ છીએ કારણ કે તું ગાલીલના લોકોની જેમ વાત કરે છે
તે પોતાના પર શાપ લાવવા લાગ્યો
મરઘો એક પક્ષી છે જે સૂર્યોદયના સમયે ઊંચા અવાજથી પોકારે છે. મરઘો જે અવાજ કરે છે તેને “કુકડેકુક” કહેવાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26:34] (../26/34.md)માં કેવી રીતે કર્યો છે.
આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પિતરને યાદ આવે છે કે ઈસુએ તેને કહ્યું હતું કે મરઘો બોલ્યા અગાઉ તું મારો નકાર ત્રણ વાર કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)