કબર કે જેમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (માર્ક 15:46) એક પ્રકારની કબર હતી જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેઓના મૃતકોને દફનાવતા હતાં. તે ખરેખર એક ઓરડો હતો જેને ખડકમાંથી કોતરવામાં આવ્યો હતો. તેની એક તરફ સપાટ જગ્યા હતી જ્યાં તેઓ દેહને તેલ અને સુગંધી દ્રવ્યો લગાડીને કપડાંમાં લપેટીને મૂકી રાખતા. પછી તેઓ કબરની સામે એક મોટો પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહી કે પ્રવેશી શકે નહી.
માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઈસુની કબર પરની સ્ત્રીઓ સાથે સફેદ કપડાંમાં દૂતો વિષે લખ્યું. બે લેખકોએ તેમને પુરુષો કહ્યા, પરંતુ તે એટલા જ માટે કે દૂતો માનવ સ્વરૂપમાં હતા. બે લેખકોએ બે દૂતો વિષે લખ્યું, પરંતુ અન્ય બે લેખકોએ તેમાંથી ફક્ત એક જ વિષે લખ્યું. દરેક ફકરાઓ એકસરખી વાત કહે છે તેવો અનુવાદ કર્યા વગર યુએલટી મુજ્બ આ ફકરાઓ જેમ છે તેમ અનુવાદ કરવા શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 28:1-2) અને માર્ક 16:5 અને [લૂક24:4] (../../luk/24/04.md) અને [યોહાન 20:12] (../../jhn/20/12.md))
અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ વહેલા આવે છે કારણ કે તેઓ ઈસુના શરીરને અભિષેક કરવા માટે સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરવાની અપેક્ષા રાખે છે. તેઓ એક જુવાનને જોઈને આશ્ચર્યચકિત થાય છે જે તેમને કહે છે કે ઈસુ જીવિતછે, પરંતુ તેઓ ભયભીત થાય છે અને કોઈને કહેતા નથી.
એટલે કે, વિશ્રામવાર પછી, અઠવાડિયાનો સાતમો દિવસ, સમાપ્ત થઈ ગયો અને અઠવાડિયાનો પહેલો દિવસ શરૂ થયો હતો.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજુઅનુવાદ: કોઈએ પથ્થરને ગબડાવી દીધો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
દૂત ભારપૂર્વક જણાવે છે કે ઈસુ મરણમાંથી ઊઠ્યા છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજુ અનુવાદ: તે ઊઠ્યા છે! અથવા ઈશ્વરે તેમને મરણમાંથી ઊઠાડ્યાછે! અથવા તેમણે પોતાને મરણમાંથી ઊઠાડ્યા! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)