કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બીજા લખાણથી દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવામાં સરળતા રહે. યુએલટી આ પ્રમાણે 20:17, 42-43 માંની કવિતાઓમાં કરે છે જે જૂના કરારના શબ્દો છે.
જ્યારે ઈસુએ ફરોશીઓને પૂછ્યું કે યોહાનને બાપ્તિસ્મા કરવાનો અધિકાર કોણે આપ્યો (લૂક 20:4), ત્યારે તેઓ જવાબ આપી શક્યા નહિ કારણ કે તેઓ જે પણ જવાબ આપે તે કોઈકને એ કહેવાનું કારણ આપશે કે તેઓ ખોટા હતા (લૂક 20:5-6). જ્યારે તેઓએ તેમને પૂછ્યું શું લોકોએ કૈસરને કર આપવો જોઈએ ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ કહેવા સક્ષમ થશે કે ઈસુ ખોટા હતા (લૂક 20:22), પરંતુ ઈસુએ તેઓને એવો જવાબ આપ્યો કે જે વિશે તેઓએ વિચાર્યું પણ ન હતું.
વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણવતું દેખાય છે. આ અધ્યાયમાં, ઈસુ ગીતશાસ્ત્રને ટાંકે છે જે જણાવે છે દાઉદ તેના પુત્રને પ્રભુ, એટલે કે, માલિક કહે છે. જોકે યહૂદીઓ માટે, પૂર્વજો તેમના વંશજો કરતાં મહાન હતા. આ ફકરામાં, ઈસુ તેમના સાંભળનારાઓને સાચી સમજણ તરફ દોરી જવા પ્રયાસ કરી રહ્યા છે કે મસીહા પોતે જ ઈશ્વરીય છે, અને તે પોતે જ મસીહા છે. (લૂક 20:41-44).
મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો ઈસુને ભક્તિસ્થાનમાં પ્રશ્ન પૂછે છે.
વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)
ભક્તિસ્થાનના આંગણામાં અથવા ""ભક્તિસ્થાનમાં
ઈસુ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોને જવાબ આપે છે.
ઈસુએ જવાબ આપ્યો
હું તમને ... એક પ્રશ્ન પૂછીશ"" શબ્દો એક નિવેદન છે. તમે મને કહો શબ્દો એ આદેશ છે.
ઈસુ જાણે છે કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી આવે છે, તેથી તેઓ માહિતી માટે પૂછી રહ્યા નથી. તે પ્રશ્ન પૂછે છે જેથી યહૂદી આગેવાનોએ તેઓ શું વિચારે છે તે જેઓ સાંભળી રહ્યા છે તે સર્વને કહેવું પડશે. આ પ્રશ્ન અલંકારિક છે, પરંતુ તમારે સંભવિત રીતે તેને એક પ્રશ્ન તરીકે અનુવાદ કરવું પડશે. વૈકલ્પિક અનુવાદ: તમને શું લાગે છે કે લોકોને બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી હતો કે માણસો તરફથી અથવા શું એ ઈશ્વર હતા જેમણે યોહાનને લોકોનું બાપ્તિસ્મા કરવાનું કહ્યું હતું, કે લોકોએ તેને તેમ કરવાનું કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ યહોવાહ થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તેઓએ ચર્ચા કરી અથવા ""તેઓએ તેમના જવાબ પર વિચારણા કરી
તેમની વચ્ચે અથવા ""એકબીજા સાથે
કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી છે, તો તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ યહોવાહ થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. લૂક 20:4 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે થયું છે તે જુઓ . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ કહેશે
કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર માણસો તરફથી છે, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
આપણા પર પથ્થરો ફેંકીને આપણને મારી નાખશે. ઈશ્વરનો નિયમ આદેશ આપતો હતો કે તેમના લોકોએ તે લોકોને પથ્થરે મારવા જોઈએ જેઓએ તેમની અથવા તેમના પ્રબોધકોની મજાક ઉડાવી હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ જવાબ આપ્યો. તેથી શબ્દ તે ઘટનાને ચિહ્નિત કરે છે જે તે પહેલા બનેલી કોઈક બાબતને કારણે બની છે. આ કિસ્સામાં, તેઓએ અંદરોઅંદર દલીલ કરી (લૂક 20:5-6), અને તેઓ જે જવાબ કહેવા માગતા હતા એ તેઓ પાસે ન હતો.
આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ કહ્યું, 'અમને ખબર નથી કે તે ક્યાંથી આવ્યો.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)
યોહાનનું બાપ્તિસ્મા ક્યાંથી આવ્યું. વૈકલ્પિક અનુવાદ: બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર ક્યાંથી આવ્યો અથવા ""લોકોને બાપ્તિસ્મા આપવાનો અધિકાર યોહાનને કોણે આપ્યો
અને હું તમને કહીશ નહિ. ઈસુ જાણતા હતા કે તેઓ તેમને જવાબ જણાવવા તૈયાર નથી, તેથી તેમણે પણ એ જ રીતે જવાબ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે મને નહિ કહો, તેમ હું પણ તમને કહીશ નહિ
ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
કેટલાક ખેડૂતોને ચુકવણીના બદલામાં તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી અથવા અમુક ખેડૂતોને તેનો ઉપયોગ કરવા અને પછીથી ચુકવણી કરવા મંજૂરી આપી. ચુકવણી નાણાંના રૂપમાં અથવા લણણીના ભાગમાં હોઈ શકે છે.
આ એવા લોકો છે કે જેઓ દ્રાક્ષનો વેલો કરે છે અને દ્રાક્ષ ઉગાડે છે. વૈકલ્પિક અનુવાદ: ""દ્રાક્ષના ખેડુતો
તેઓ તેને ચૂકવવા સંમત થયા હતા તે સમય. આ લણણીનો સમય હોઈ શકે છે.
કેટલીક દ્રાક્ષ અથવા તેઓએ દ્રાક્ષાવાડીમાં જે ઉત્પાદન કર્યું હતું તેમાંથી કેટલાક. તે દ્રાક્ષમાંથી બનાવેલી વસ્તુઓ અથવા દ્રાક્ષ વેચીને મેળવેલા નાણાંનો પણ ઉલ્લેખ કરી શકે છે.
ખાલી હાથ એ કંઈ નથી એ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તેને ચૂકવણી કર્યા વિના મોકલી દીધો અથવા દ્રાક્ષ વિના તેને મોકલી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તે ચાકરને માર્યો
તેને અપમાનિત કર્યો
ખાલી હાથ એ કંઈપણ ન હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તેને ચૂકવણી કર્યા વિના મોકલી દીધો અથવા તેને કોઈપણ દ્રાક્ષ વિના મોકલી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
ત્રીજો ચાકર પણ અથવા હજુ બીજો ચાકર. હજુ શબ્દ એ હકીકત તરફ ઇશારો કરે છે કે જમીનના માલિકે બીજા ચાકરને મોકલવો જોઈતો ન હતો, પરંતુ તે તેનાથી આગળ ગયો અને ત્રીજા ચાકરને મોકલ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
તે ચાકરને ઘાયલ કર્યો
તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો
આ પ્રશ્ન ભારપૂર્વક જણાવે છે કે દ્રાક્ષાવાડીના માલિકે તે શું કરવા જઈ રહ્યો છે તે વિશે કાળજીપૂર્વક વિચાર્યું. વૈકલ્પિક અનુવાદ: હું શું કરીશ તે આ રહ્યું: (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
જ્યારે ખેડૂતોએ માલિકના પુત્રને જોયો
તેઓ પરવાનગી માગી રહ્યા ન હતા. વારસદારની હત્યા કરવા માટે તેઓએ એકબીજાને પ્રોત્સાહન આપતા આ કહ્યું.
ઈસુ પોતાનું દ્રષ્ટાંત ટોળાને કહેવાનું પૂર્ણ કરે છે.
ખેડૂતોએ પુત્રને દ્રાક્ષાવાડીની બહાર કાઢી મૂક્યો
દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે તે પર તેમના સાંભળનારાઓ ધ્યાન આપે માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તો હવે, દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે તે સાંભળો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
તે ક્યારેય ન બને
ઈસુ ટોળાને શીખવવાનું ચાલુ રાખે છે.
પરંતુ ઈસુએ તેમની સામે જોયું અથવા ""પણ તેમણે સીધુ તેઓ તરફ જોયું. ""તેઓ જે કહી રહ્યા હતા તે સમજવા તેઓને જવાબદાર ગણવા તેમણ આ કર્યું.
ઈસુ ટોળાને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે લખ્યું છે તે સમજવા માટે સમર્થ હોવા જોઈએ: 'પથ્થર ... પાયાનો પથ્થર.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ શાસ્ત્ર
ગીતશાસ્ત્રના પુસ્તકની પ્રબોધવાણીમાંથી આ ત્રણ રૂપકોમાંનું પ્રથમ રૂપક છે. તે મસીહાનો એવી રીતે ઉલ્લેખ કરે છે જાણે તેઓ એક પથ્થર હોય જેને બાંધનારાઓએ ઉપયોગ ન કરવા પસંદ કર્યો હોય, પરંતુ તેને ઈશ્વરે સૌથી મહત્વપૂર્ણ પથ્થર બનાવ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
બાંધનારાઓએ જણાવ્યું હતું કે પથ્થર ઇમારત માટે વાપરવો એટલો સારો નથી. તે દિવસોમાં લોકો ઘરો અને અન્ય ઇમારતોની દિવાલો બાંધવા માટે પથ્થરોનો ઉપયોગ કરતાં હતા.
આ એવા ધાર્મિક શાસકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને મસીહા તરીકે નકારી રહ્યા છે.
ઇમારતનો મુખ્ય પથ્થર અથવા ""ઇમારતનો સૌથી મહત્વપૂર્ણ પથ્થર
આ બીજુ રૂપક એવા લોકોની વાત કરે છે જેઓ મસીહાને નકારે છે જાણે કે તેઓ કોઈ પથ્થર ઉપર પડ્યા હોય અને ઘાયલ થયા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ પથ્થર પર પડવાનું પરિણામ છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તોડીને ટુકડા કરી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
પણ જેના પર તે પથ્થર પડે છે. આ ત્રીજુ રૂપક મસીહા, જેઓ તેમનો નકારે છે, તેઓના ન્યાય કરવા વિશે એવી રીતે જણાવે છે જાણે તેઓ કોઈ મોટો પથ્થર હોય જે તેમને કચડી નાખનાર હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
આ કલમમાં, કોઈ પર હાથ નાખવો એટલે તે વ્યક્તિની ધરપકડ કરવી. વૈકલ્પિક અનુવાદ: ઈસુને ધરપકડ કરવાનો માર્ગ શોધ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તરત જ
આ જ કારણ છે કે તેઓએ તરત જ ઈસુની ધરપકડ કરી નહિ. લોકો ઈસુનો આદર કરતાં હતા, અને ધાર્મિક આગેવાનો ડરતા હતા કે જો તેઓ તેમની ધરપકડ કરશે તો લોકો શું કરશે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે તેઓ લોકોથી ડરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ ઈસુ પર નજર રાખવા માટે જાસૂસો મોકલ્યા
કારણ કે તેઓ ઈસુ પર કંઈક ખરાબ કહેવાનો આરોપ મૂકવા માગતા હતા
નિયમ અને અધિકાર એ કહેવાની બે રીતો છે કે તેઓ ઇચ્છે કે રાજ્યપાલ ઈસુનો ન્યાય કરે. તેને અનુવાદ એક અથવા બંને અભિવ્યક્તિઓ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેથી રાજ્યપાલ ઈસુને શિક્ષા કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
વાર્તાના આ ભાગમાં આગામી ઘટનાની આ શરૂઆત છે. ઈસુને ભક્તિસ્થાનમાં મુખ્ય યાજકોઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેનો કેટલોક સમય વીતી ગયો. હવે જાસૂસો ઈસુની પૂછપરછ કરે છે.
જાસૂસોએ ઈસુને પૂછ્યું
જાસૂસો ઈસુને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ ઈસુ વિશેની આ વાતો પર વિશ્વાસ કરતાં ન હતા.
અમે ફક્ત જાસૂસોનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મહત્વપૂર્ણ લોકોને તે નાપસંદ હોય તો પણ તમે સત્ય કહો છો અથવા 2) તમે એક વ્યક્તિ ઉપર બીજાની તરફેણ કરતાં નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
જાસૂસો જે કહી રહ્યા હતા તેનો આ એક ભાગ છે જે તેઓ ઈસુ વિશે જાણતા હતા.
તેઓને આશા હતી કે ઈસુ હા અથવા ના કહેશે. જો તેઓ હા કહે, તો યહૂદી લોકો તેમને વિદેશી સરકારને કર ચૂકવવાનું કહેવા માટે તેમના પર ગુસ્સે થશે. જો તેઓ ના કહે, તો પછી ધાર્મિક આગેવાનો રોમનોને કહી શકશે કે ઈસુ લોકોને રોમન નિયમો તોડવાનું શીખવતા હતા.
તેઓ ઈશ્વરના નિયમ વિશે પૂછી રહ્યા હતા, કૈસરના કાયદા વિશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""શું આપણો કાયદો મંજૂરી આપે છે
કારણ કે કૈસર રોમન સરકારનો શાસક હતો, તેથી તેઓ કૈસરના નામથી રોમન સરકારનો ઉલ્લેખ કરી શકતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
પરંતુ ઈસુ સમજી ગયા કે તેઓ કેટલા કપટી હતા અથવા પરંતુ ઈસુએ જોયું કે તેઓ તેમને ફસાવવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમના શબ્દ જાસૂસોનો ઉલ્લેખ કરે છે.
આ એક રોમન ચાંદીનો સિક્કો છે જે એક દિવસની મજૂરી જેટલો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)
ઈસુએ તે લોકો જેઓ તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને જવાબ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ચિત્ર અને નામ
આ જાસૂસો વિશેની આ ઘટનાનો અને વાર્તાના આ ભાગનો અંત છે જે લૂક 20:1 માં શરૂ થયો હતો.
પછી ઈસુએ તેઓને કહ્યું
અહીં કૈસર એ રોમન સરકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
આપો"" શબ્દ એ અગાઉના શબ્દસમૂહ પરથી સમજાય છે. તે અહીં પુનરાવર્તિત થયું છે. વૈકલ્પિક અનુવાદ: અને ઈશ્વરને આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
જાસૂસો તેમણે જે કહ્યું તેમાં કશું જ ખોટું શોધી શક્યા નહિ
પરંતુ તેઓ તેમના જવાબથી આચરત થયા અને કંઈપણ બોલ્યા નહિ
અમને ખબર નથી કે એ આ ક્યાં બને છે, જો કે તે કદાચ ભક્તિસ્થાનના આંગણામાં બન્યું હોઈ શકે. ઈસુ કેટલાક સદૂકીઓ સાથે વાત કરી રહ્યા છે.
આ શબ્દસમૂહ સદૂકીઓને યહૂદીઓના જૂથ તરીકે ઓળખાવે છે જેઓ કહે છે કે કોઈપણ વ્યક્તિ મૃત્યુમાંથી ઉઠશે નહિ. તેનો અર્થ એ નથી કે કેટલાક સદૂકીઓ માનતા હતા કે પુનરુત્થાન છે અને કેટલાક માનતા નહોતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-distinguish)
જો કોઈ વ્યક્તિનો ભાઈ તેને પત્ની હોય અને મૃત્યુ પામે છે પણ તેને સંતાન ન હોય તો
માણસે તેના મૃત ભાઈની વિધવા સાથે લગ્ન કરવા જોઈએ
યહૂદીઓ માનતા હતા કે મહિલાને જે પ્રથમ પુત્ર જન્મે છે જે તેને તેના મૃત પતિના ભાઈ સાથે લગ્ન કર્યાથી થાય છે તે જાણે કે તે સ્ત્રીના પહેલા પતિનો પુત્ર હોય. આ પુત્રને તેની માતાના પહેલા પતિની મિલકત વારસામાં મળે છે અને તેનું નામ આગળ વધારે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
સદૂકીઓએ ઈસુને 29-22 કલમોમાં એક ટૂંકી વાર્તા કહે છે. આ એક વાર્તા છે જેને તેઓએ ઉદાહરણ તરીકે બનાવે છે. 33 કલમમાં, તેઓ ઈસુને તેઓને કહેલી વાર્તા વિશે પ્રશ્ન પૂછે છે.
સદૂકીઓએ ઈસુને તેમનો પ્રશ્ન પૂછવાનું પૂર્ણ કર્યું.
આ બન્યું હોઈ શકે, પરંતુ તે કદાચ એક વાર્તા હોઈ શકે જેને તેઓએ ઈસુનું પરીક્ષણ કરવા માટે બનાવી હોય.
પ્રથમ ભાઈ અથવા સૌથી મોટો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
કોઈ સંતાન વિના મૃત્યુ પામ્યો અથવા ""મૃત્યુ પામ્યો, પરંતુ કોઈ સંતાન ન હતું
ઈસુએ ઘણી વિગતોનું પુનરાવર્તન કર્યા વિના વાર્તાને ટૂંકી કરી દીધી. વૈકલ્પિક અનુવાદ: બીજાએ તેની સાથે લગ્ન કર્યા અને તેવું જ બન્યું અથવા બીજા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા અને સંતાન વગર જ મૃત્યુ પામ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
બીજો ભાઈ અથવા સૌથી મોટો ભાઈ જે હજી જીવતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યાં
ત્રીજો ભાઈ અથવા સૌથી મોટો ભાઈ જે હજી જીવતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)
વાર્તાને ટૂંકી રાખવા માટે તેઓએ ઘણી વિગતોનું પુનરાવર્તન કર્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: એ જ રીતે બાકીના સાત ભાઈઓએ તેની સાથે લગ્ન કર્યા અને કોઈને સંતાન ન થયું અને મૃત્યુ પામ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
બધા સાત ભાઈઓ અથવા ""સાત ભાઈઓમાંનો દરેક
જ્યારે લોકો મૃત્યુમાંથી ઊઠે છે અથવા જ્યારે મૃત લોકો ફરીથી સજીવન થશે. કેટલીક ભાષાઓમાં એ બતાવવાની રીત હોય છે કે સદૂકીઓ માનતા ન હતા કે પુનરુત્થાન થશે, જેમ કે માનવામાં આવેલા પુનરુત્થાનમાં અથવા ""જ્યારે મૃત લોકોને ધાર્યા પ્રમાણે ઉઠાડવામાં આવે છે.
ઈસુએ સદૂકીઓને જવાબ આપવાની શરૂઆત કરી.
આ જગતના લોકો અથવા આ સમયના લોકો. આ સ્વર્ગમાંના લોકો અથવા પુનરુત્થાન પછી જીવતા લોકોની સાથે વિરોધાભાસી છે.
તે સંસ્કૃતિમાં તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી હતી એમ બોલતા હતા. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લગ્ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે યુગમાંના લોકો કે જેઓને ઈશ્વર યોગ્ય ગણશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
મૃત્યુમાંથી ઉઠાડવામાં આવ્યા અથવા ""મૃત્યુમાંથી ઉઠવું
મૃત્યુ પામેલા સર્વ લોકો મધ્યેથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એકસાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પુનરુત્થાન પ્રાપ્ત કરવું એટલે ફરીથી સજીવન થવું.
તે સંસ્કૃતિમાં, તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે એમ બોલતા અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લગ્ન કરશે નહિ અથવા લગ્ન નહિ કરે. આ પુનરુત્થાન પછીની વાત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ પુનરુત્થાન પછીની વાત છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ હવે મૃત્યુ પામી શકશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈશ્વરના બાળકો છે કારણ કે તેઓ તેમને મરણમાંથી પાછા લાવ્યા છે
ઈસુ સદૂકીઓને જવાબ આપવાનું પૂર્ણ કરે છે.
પણ"" શબ્દ અહીં છે કારણ કે સદ્દૂકીઓને આશ્ચર્ય થયું ન હતું કે કેટલાક શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પામેલા લોકો જીવતા થયા છે, પરંતુ તેઓએ અપેક્ષા રાખી ન હતી કે મૂસાએ એવું કંઇક લખ્યું હશે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ મૂસાએ પણ બતાવ્યું છે કે મૃત લોકો મૃત્યુમાંથી ઉઠ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર મૃત્યુ પામેલાઓને ફરી જીવંત બનાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
શાસ્ત્રના તે ભાગમાં જ્યાં તેઓએ બળતા ઝાડવા વિશે લખ્યું અથવા શાસ્ત્રમાં બળતા ઝાડવા વિશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
જ્યાં મૂસાએ પ્રભુને પોકાર્યા
ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર. તેઓ બધાએ એક જ ઈશ્વરની ભક્તિ કરી.
આ શબ્દ અહીં મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા માટે વપરાયો છે. અહીં ઈસુ સમજાવે છે કે આ વાર્તા કેવી રીતે સાબિત કરે છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે.
આ બે વાક્યો સમાન અર્થ ધરાવે છે પણ ભારપૂર્વક જણાવવા માટે બે વાર કહેવાયું છે. કેટલીક ભાષાઓમાં ભાર દર્શાવવાની વિવિધ રીતો હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ એ ફક્ત જીવંત લોકોના ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)
પરંતુ જીવંત લોકોનો ઈશ્વર. આ લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા હોવાથી, તેઓ હજુ પણ આત્મિક રીતે જીવંત હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: પરંતુ એવા લોકો જેમના શરીર મૃત્યુ પામ્યા છે તેમ છતાં જેમના આત્માઓ જીવંત છે, તેમના ઈશ્વર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કેમ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તે સઘળાં હજુ જીવંત છે અથવા ""કેમ કે તેમના આત્માઓ ઈશ્વરની હાજરીમાં જીવંત છે
કેટલાક શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું. જ્યારે સદૂકીઓ ઈસુને પ્રશ્નો કરી રહ્યા હતા ત્યારે ત્યાં શાસ્ત્રીઓ ત્યાં હાજર હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તે સ્પષ્ટ નથી કે આ શાસ્ત્રીઓનો કે સદૂકીઓ કે બંનેનો ઉલ્લેખ કરે છે. નિવેદન સામાન્ય રાખવું શ્રેષ્ઠ છે.
તેઓ પૂછતા ગભરાતા હતા... પ્રશ્નો અથવા તેઓએ પૂછવાનું જોખમ ન લીધું ... પ્રશ્નો. તેઓ સમજી ગયા કે તેઓ ઈસુ જેટલું જાણતા નથી, પરંતુ તેઓ તે કહેવા માંગતા ન હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેમને વધુ મુશ્કેલ પ્રશ્નો ન પૂછ્યા કારણ કે તેઓને ડર હતો કે તેમના જ્ઞાની જવાબો તેમને ફરીથી મૂર્ખ બતાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુ શાસ્ત્રીઓને એક પ્રશ્ન પૂછે છે.
તેઓ શા માટે કહે છે ... પુત્ર? મસીહા કોણ છે તે વિશે શાસ્ત્રીઓ વિચારે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ચાલો તેમના વિશે એમ કહેતા વિચારીએ ... પુત્ર. અથવા હું તેમના વિશે એમ કહીશ ... પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
પ્રબોધકો, ધાર્મિક શાસકો અને સામાન્ય રીતે યહૂદી લોકો જાણતા હતા કે મસીહા દાઉદના પુત્ર હતા. વૈકલ્પિક અનુવાદ: દરેક કહે છે અથવા લોકો કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
દાઉદ રાજાના વંશજ. વંશજના સંદર્ભ માટે અહીં પુત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં તે એકનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના રાજ્ય પર રાજ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ ગીતશાસ્ત્રના પુસ્તકનું એક અવતરણ છે જે કહે છે યહોવાહે મારા પ્રભુને કહ્યું. પરંતુ યહૂદીઓએ યહોવાહ કહેવાનું બંધ કરીને તેના બદલે ઘણીવાર પ્રભુ કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું અથવા ""ઈશ્વરે મારા પ્રભુને કહ્યું
દાઉદ ખ્રિસ્તનો ઉલ્લેખ મારા પ્રભુ તરીકે કરી રહ્યો હતો.
ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: મારી બાજુમાં સન્માનની જગ્યાએ બેસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)
મસીહાના શત્રુઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે કે જાણે કે તેઓ રાચરચીલું હોય જેના પર તેઓ તેમના પગને મૂકશે. આ આધીનતાની એક છબી હતી. વૈકલ્પિક અનુવાદ: જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા માટે પાયાસનની જેમ ન બનાવું અથવા જ્યાં સુધી હું તારા માટે તારા શત્રુઓને જીતી ન લઉં ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તે સમયની સંસ્કૃતિમાં, પુત્ર કરતાં પિતાનું માન વધુ હતું. દાઉદ ખ્રિસ્ત માટે 'પ્રભુ' શીર્ષકનો ઉપયોગ કરે છે જે સૂચવે છે કે તેઓ દાઉદ કરતાં મોટા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તો ખ્રિસ્ત દાઉદના પુત્ર કેવી રીતે બની શકે? આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: આ દર્શાવે છે કે ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ જ નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ હવે તેના શિષ્યો તરફ પોતાનું ધ્યાન દોરે છે અને મુખ્યત્વે તેઓની સાથે બોલે છે.
ની સામે સાવચેત રહો
લાંબા ઝભ્ભો દર્શાવશે કે તેઓ મહત્વપૂર્ણ છે. વૈકલ્પિક અનુવાદ: જેઓને તેમના મહત્વપૂર્ણ ઝભ્ભાઓ પહેરીને ફરવું ગમે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તેઓ વિધવાના ઘરો પણ ખાઈ જાય છે. શાસ્ત્રીઓ વિશે એવી રીતે કહેવામાં આવે છે જાણે તેઓ ભૂખ્યા પ્રાણીઓ હોય જેઓ વિધવાના ઘરો ખાતા હોય. ઘરો શબ્દ એ જ્યાં વિધવા રહે છે અને તેણીએ તેના મકાનમાં રાખેલ સર્વ સંપત્તિ બંને માટે એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ વિધવાઓ પાસેથી તેમની સર્વ સંપત્તિ પણ લઈ જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરે છે અને લાંબી પ્રાર્થનાઓ કરે છે અથવા ""તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે કે જેથી લોકો તેમને જુએ
તેઓનો વધુ ભારે ન્યાય કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર ચોક્કસપણે તેઓને ખૂબ સખત સજા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)