John 15

John 15:1

ખરો દ્રાક્ષવેલો કોણ છે?

ઇસુ ખરો દ્રાક્ષવેલો છે.

દ્રાક્ષવેલાનો માળી કોણ છે?

બાપ દ્રાક્ષવેલનો માળી છે.

John 15:2

જે ડાળીઓ ખ્રિસ્તમાં છે તેમને બાપ શું કરે છે?

જે ડાળીઓ ફળ આપતી નથી તેને બાપ કાપી નાંખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તેને શુધ્ધ કરે છે.

John 15:3

શિષ્યો કેમ શુધ્ધ છે?

ઇસુએ જે વચનો શિષ્યોને કહ્યા તેને કારણે તેઓ શુધ્ધ છે.

John 15:5

ડાળીઓ કોણ છે?

આપણે ડાળીઓ છીએ.

ફળ આપવા આપણે શું કરવું જોઈએ?

ફળ આપવા માટે તમારે ઇસુમાં રહેવું જ જોઈએ.

John 15:6

જો તમે ખ્રિસ્તમાં રહેતા નથી તો શું થાય છે?

જો કોઈ ખ્રિસ્તમાં રહેતો નથી, તો તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, તે સુકાઈ જાય છે અને પછી તેને બાળી નાંખવામાં આવે છે.

John 15:7

આપણે શું કરવું જોઈએ કે જેથી જે કઈ આપણે માંગીએ તે આપણા માટે કરવામાં આવે?

આપણે ઇસુમાં રહેવું જોઈએ અને તેના વચનો આપણાંમાં રહેવા જોઈએ. તો જ જે કંઇ આપણે ચાહીએ, તે આપણે વાસ્તે કરવામાં આવશે.

John 15:8

એવા કયા બે રસ્તા છે જેથી બાપ મહિમાવાન થાય છે?

જ્યારે આપણે ઘણા ફળ આપીએ છીએ અને જ્યારે આપણે ઈસુના શિષ્યો હોઈએ છીએ ત્યારે બાપ મહિમાવાન થાય છે.

John 15:10

ઈસુના પ્રેમમાં રહેવા માટે આપણે શું કરવાનું છે?

આપણે તેમની આજ્ઞાઓ પાળવાની છે.

John 15:13

કોઈ વ્યક્તિનો સહુથી મોટો પ્રેમ કયો હોય શકે?

કોઈનો પ્રેમ આના કરતાં મોટો ન હોય શકે, કે તે પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપે.

John 15:14

આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણે ઈસુના મિત્રો છીએ કે નહીં?

આપણે ઈસુના મિત્રો છીએ જો આપણે તેણે આપણને જે બાબતો કરવાની કહી તે કરીએ તો.

John 15:15

ઇસુએ કેમ તેના શિષ્યોને તેના મિત્રો કહ્યા?

તેણે તેમને મિત્રો કહ્યા, કારણકે તેણે તેમને એ બધી વાતો જણાવી હતી જે તેણે તેના બાપ પાસેથી સાંભળી હતી.

John 15:19

જેઓ ઇસુની પાછળ ચાલે છે તેમનો જગત કેમ દ્વેષ કરે છે?

જેઓ ઇસુની પાછળ ચાલે તેમનો જગત દ્વેષ કરે છે કારણકે તેઓ આ જગતના નથી અને કારણકે ઇસુએ તેમને આ જગતમાંથી પસંદ કર્યા છે.

John 15:24

ઇસુએ એવું શું કર્યું કે જગતને તેમના પાપ માટે કોઈ બહાનું રહે નહીં?

જગતને તેમના પાપ માટે કોઈ બહાનું નહીં રહે કારણકે ઇસુ આવ્યા અને તેમની મધ્યે એવા કામો કર્યા જે કોઈએ કર્યા નથી.

John 15:26

ઈસુ સંબંધી કોણ સાક્ષી આપશે?

સંબોધક, જે સત્યનો આત્મા છે, તે ઇસુ સંબંધી સાક્ષી આપશે.

John 15:27

ઈસુ સંબંધી કોણ સાક્ષી આપશે?

સંબોધક, જે સત્યનો આત્મા છે, તે ઇસુ સંબંધી સાક્ષી આપશે.

શિષ્યો કેમ ઇસુ વિષે સાક્ષી આપશે?

તેઓ ઇસુ વિષે સાક્ષી આપશે કારણકે તેઓ શરૂઆતથી જ ઇસુ સાથે હતા.