John 13

John 13:1

ઇસુએ પોતાના લોકો પર ક્યાં સુધી પ્રેમ રાખ્યો?

તેણે તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

John 13:2

શેતાને યહુદા ઈશ્કરિયોતને શું કર્યું?

શેતાને યહુદા ઈશ્કરિયોતના મનમાં ઇસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી.

John 13:3

બાપે ઇસુને શું સોંપ્યું હતું?

બાપે સઘળા વાના ઈસુના હાથમાં સોંપ્યાં હતા.

ઇસુ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો?

ઇસુ દેવ પાસેથી આવ્યો હતો અને દેવ પાસે પાછો જવાનો હતો.

John 13:4

ઇસુ જમણ પરથી ઉઠ્યો ત્યારે તેણે શું કર્યું?

તેણે પોતાના લૂગડાં ઉતાર્યા, રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો, એક વાસણમાં પાણી રેડ્યું અને શિષ્યોના પગ ધોવા અને રૂમાલેથી લૂંછવા લાગ્યો.

John 13:5

ઇસુ જમણ પરથી ઉઠ્યો ત્યારે તેણે શું કર્યું?

તેણે પોતાના લૂગડાં ઉતાર્યા, રૂમાલ લીધો અને તેણે પોતાની કમરે બાંધ્યો, એક વાસણમાં પાણી રેડ્યું અને શિષ્યોના પગ ધોવા અને રૂમાલેથી લૂંછવા લાગ્યો.

John 13:8

જ્યારે પિતરે પોતાના પગ ઇસુ દ્વારા ધોવાય તે માટે વિરોધ કર્યો ત્યારે ઇસુએ શું કહ્યું?

ઇસુએ કહ્યું, “જો હું તને ના ધોઉં, તો મારી સાથે તારો કઈ લાગભાગ નથી.”

John 13:11

ઇસુએ પોતાના શિષ્યોને કેમ કહ્યું, “તમે બધા શુધ્ધ નથી?”

ઇસુએ આ કહ્યું કારણકે તે જાણતો હતો કે કોણ તેને પરસ્વાધીન કરવાનો હતો.

John 13:14

ઇસુએ શિષ્યોના પગ કેમ ધોયા?

ઇસુએ શિષ્યોને એક ઉદાહરણ આપવા માટે શિષ્યોના પગ ધોયા કે જેથી તેઓ જેમ તેણે તેમના માટે કર્યું તેમ એકબીજા માટે કરે.

John 13:15

ઇસુએ શિષ્યોના પગ કેમ ધોયા?

ઇસુએ શિષ્યોને એક ઉદાહરણ આપવા માટે શિષ્યોના પગ ધોયા કે જેથી તેઓ જેમ તેણે તેમના માટે કર્યું તેમ એકબીજા માટે કરે.

John 13:16

શું ચાકર પોતાના શેઠ કરતાં મોટો છે અથવા જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો છે?

ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.

John 13:18

કોણે ઇસુની સામે લાત ઉગામી?

જેણે ઇસુની રોટલી ખાધી તેણે ઇસુની સામે લાત ઉગામી.

John 13:19

ઇસુએ પોતાના શિષ્યોને કેમ કહ્યું, “તમારામાનાં બધા શુધ્ધ નથી” અને “જે મારી રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે?”

ઇસુએ એ થાય તે અગાઉથી તેમને કહ્યું કે જેથી તે જ્યારે થાય, ત્યારે તેઓ વિશ્વાસ કરે કે તે જ “હું છું” છે.

John 13:20

જેને ઇસુ મોકલે છે તેનો જો તમે અંગીકાર કરો છો તો તમે કોનો અંગીકાર કરો છો?

જેને ઇસુ મોકલે છે તેનો જો તમે અંગીકાર કરો, તો તમે ઇસુનો અંગીકાર કરો છો, અને તમે જેને ઇસુએ મોકલ્યો તેનો અંગીકાર કરો છો.

John 13:24

જ્યારે ઇસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તમારામાનો એક મને પરસ્વાધીન કરશે, સિમોન પિતરે શું કર્યું?

સિમોન પિતરે જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તેને ઈશારો કર્યો અને કહ્યું, “તે કોને વિષે કહે છે, તે અમને કહે.”

John 13:26

જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તેણે જ્યારે ઇસુને પૂછ્યું કે તેણે કોણ પરસ્વાધીન કરવાનો છે ત્યારે ઇસુએ કેવો જવાબ આપ્યો?

ઇસુએ જવાબ આપ્યો, “હું કોળિયો બોળીને જેને આપીશ તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઈશ્કરિયોતના દીકરા યહુદાને આપે છે.

John 13:27

ઇસુએ યહુદાને કોળિયો આપ્યો ત્યાર પછી યહુદાને શું થયું અને તેણે શું કર્યું?

યહુદાએ કોળિયો લીધા પછી, તેનામાં શેતાન પ્રવેશ્યો, અને તરત જ તે બહાર ગયો.

John 13:30

ઇસુએ યહુદાને કોળિયો આપ્યો ત્યાર પછી યહુદાને શું થયું અને તેણે શું કર્યું?

યહુદાએ કોળિયો લીધા પછી, તેનામાં શેતાન પ્રવેશ્યો, અને તરત જ તે બહાર ગયો.

John 13:31

કઈ રીતે દેવ મહિમાવાન થવાનો હતો?

દેવ માણસના દીકરામાં મહિમાવાન થવાનો હતો. જ્યારે માણસ નો દીકરો મહિમાવાન થયો, તેનાથી દેવ મહિમાવાન થયો.

John 13:33

શું સિમોન પિતર સમજતો હતો કે ઇસુ ક્યાં જઈ રહ્યા છે જ્યારે ઇસુએ તેમને કહ્યું, “જ્યાં હું જાઉં છુ, ત્યાં તમે આવી શકતા નથી?”

ના, સિમોન પિતર સમજતો ન હતો, કારણકે તેણે ઇસુને પૂછ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”

John 13:34

ઇસુએ તેમના શિષ્યોને કઈ નવી આજ્ઞા આપી?

નવી આજ્ઞા એ હતી કે જેમ ઇસુએ તેમના પર પ્રેમ રાખ્યો હતો તેમ તેમણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.

John 13:35

ઇસુએ કહ્યું કે શું બનશે જો તેના શિષ્યો એકબીજા પર પ્રેમ કરવાની આજ્ઞાનું પાલન કરશે તો?

ઇસુએ કહ્યું કે આ આજ્ઞા તેમના દ્વારા પાળવામાં આવશે તો, લોકો જાણશે કે તેઓ તેના શિષ્ય છે.

John 13:38

જ્યારે પિતરે કહ્યું કે, “હું તારે સારું મારો જીવ આપીશ,” ઇસુએ શો જવાબ આપ્યો?

ઇસુએ જવાબ આપ્યો, “શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છુ કે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”