John 9

John 9:2

શિષ્યો ની માન્યતા શું હતી કે કેમ તે માણસ આંધળો જન્મ્યો હતો?

શિષ્યો માનતા હતા કે આ માણસ આંધળો જન્મ્યો હતો તેનું કારણ હતું કારણકે તેણે અથવા તેના માબાપે પાપ કર્યું હતું.

John 9:3

એ માણસ આંધળો જન્મ્યો તેનું ઇસુએ કયું કારણ કહ્યું?

ઇસુએ કહ્યું કે આ માણસ આંધળો જનમ્યો કારણકે દેવના કામ તેનામાં પ્રગટ થાય.

John 9:6

ઇસુએ શું કર્યું અને આંધળા માણસને શું કહ્યું?

ઇસુ જમીન પર થૂંકયો, થોડો કાદવ બનાવ્યો, અને તે માણસની આંખો પર તે કાદવ ચોપડયો.

John 9:7

ઇસુએ શું કર્યું અને આંધળા માણસને શું કહ્યું?

ઇસુ જમીન પર થૂંકયો, થોડો કાદવ બનાવ્યો, અને તે માણસની આંખો પર તે કાદવ ચોપડયો.

આંધળા માણસે સિલોઆમના કુંડમાં જઈને આંખો ધોયા પછી શું બન્યું?

તે દેખાતો થયો

John 9:9

જ્યારે એ વિવાદ ઊભો થયો કે કે આ માણસ એજ છે કે નહીં કે જે જન્મથી આંધળો હતો અને બેસીને ભીખ માંગતો હતો ત્યારે તે માણસે શું સાક્ષી આપી?

તે માણસે સાક્ષી આપી કે તે જ આંધળો ભિખારી હતો.

John 9:13

જે લોકો પહેલા આ આંધળા માણસ સાથે હતા તેમણે શું કર્યું?

તેઓ તે માણસને ફરોશીઓ પાસે લઈ ગયા.

John 9:14

ક્યારે સાજાપણાનો બનાવ બન્યો?

આંધળા માણસને વિશ્રામવારે સાજાપણું મળ્યુ.

John 9:15

જે માણસ અગાઉ આંધળો હતો તેને ફરોશીઓએ શું પુછ્યું?

તેઓએ તેને પુછ્યું કે તે શી રીતે દેખાતો થયો?

John 9:16

ફરોશીઓમાં શું પક્ષ પડ્યા?

કેટલાક ફરોશીઓએ કહ્યું કે ઇસુ ઈશ્વર પાસેથી નથી કારણકે તે વિશ્રામવાર પાળતો નહોતો (તેણે વિશ્રામવારે સાજાપણુ આપ્યુ) અને ફરોશીઓમાનાં કેટલાકે કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે.

John 9:17

જે માણસ અગાઉ આંધળો હતો તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઇસુ વિષે શું કહ્યું?

જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું, “ તે પ્રબોધક છે.”

John 9:18

જે માણસને દ્રષ્ટિ મળી હતી તેના માં-બાપને યહુદીઓએ કેમ તેડાવ્યાં?

તેઓએ તે માણસના માં-બાપને તેડાવ્યા કારણકે તેઓ હજી માનવા તૈયાર નહોતા કે આ માણસ એજ છે જે આંધળો હતો.

John 9:20

આ માણસના માં-બાપે તેમના દીકરા વિષે શી સાક્ષી આપી?

માં-બાપે સાક્ષી આપીએ કે આ માણસ ખરેખરે તેમનો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો.

John 9:21

તે માણસના માં-બાપે શું કહ્યું કે તેઓ જાણતા નથી?

તેઓએ કહ્યું કે તેઓ જાણતા નહોતા કે તે હવે કઈ રીતે દેખાતો થયો, અથવા કોણે તેની આંખો ઉઘાડી.

John 9:22

તે માણસ ના માં-બાપે કેમ કહ્યું, “એ પુખ્ત ઉંમરનો છે, એને પુછો.”

તેઓએ આમ કહ્યું કારણકે તેઓ યહુદીઓથી બિતા હતા. કારણકે યહુદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.

John 9:24

ફરોશીઓએ જે માણસ અગાઉ આંધળો હતો તેને બીજીવાર બોલાવીને શું કહ્યું?

તેઓએ કહ્યું, “દેવની સ્તુતિ કર, અમે જાણીએ છીએ કે એ માણસ(ઇસુ) તો પાપી છે.

John 9:25

જે માણસ અગાઉ આંધળો હતો તેનો પ્રતીભાવ કેવો હતો જ્યારે ફરોશીઓએ ઇસુને પાપી કહ્યો?

તેણે ઉત્તર આપ્યો, “ તે પાપી છે કે નહીં, તે હું જાણતો નથી, એક વાત હું જાણું છું: પહેલા હું આંધળો હતો, અને હવે હું દેખતો થયો છુ.”

John 9:27

જે માણસ અગાઉ આંધળો હતો તેણે ફરોશીઓને કયા પ્રશ્નો પૂછ્યા?

જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું, “તમે શા માટે ફરી સાંભળવા માંગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”

John 9:31

જ્યારે ફરોશીઓએ તે માણસની નિંદા કરી, જે માણસ અગાઉ આંધળો હતો તેણે શું કહ્યું કે જે દરેક જાણતા હતા.

જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું કે દરેક માણસ જાણે છે કે દેવ પાપીઓનું સાંભળતો નથી.

John 9:34

ફરોશીઓએ આંધળા માણસના સણસણતા જવાબનો શું પ્રતીભાવ આપ્યો?

તેમણે તે માણસને ઠપકો આપ્યો કે તે પાપમાં જન્મ્યો હતો છતાં તેમને બોધ કરે છે. પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.

John 9:35

જ્યારે ઇસુએ સાંભળ્યુ કે જે માણસ અગાઉ આંધળો હતો તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે તેણે શું કર્યું?

ઇસુ આ માણસની શોધમાં ગયા અને તેને શોધી કાઢ્યો.

જે માણસ અગાઉ આંધળો હતો તેને શોધી કાઢીને ઇસુએ તેને શું કહ્યું?

ઇસુએ તેને પૂછ્યું કે શું તે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે અને પછી તેણે જે માણસ અગાઉ આંધળો હતો તેને કહ્યું કે તે(ઇસુ) માણસ નો દીકરો છે.

John 9:36

જે માણસ અગાઉ આંધળો હતો તેને શોધી કાઢીને ઇસુએ તેને શું કહ્યું?

ઇસુએ તેને પૂછ્યું કે શું તે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે અને પછી તેણે જે માણસ અગાઉ આંધળો હતો તેને કહ્યું કે તે(ઇસુ) માણસ નો દીકરો છે.

John 9:38

જે માણસ અગાઉ આંધળો હતો તેને જ્યારે કહેવામા આવ્યું કે ઇસુ માણસ નો દીકરો છે ત્યારે તેણે શો પ્રતિભાવ આપ્યો?

જે માણસ અગાઉ આંધળો હતો તેણે ઇસુને કહ્યું કે તે ઇસુ પર વિશ્વાસ કરતો હતો અને તેણે ઇસુનું ભજન કર્યું.

John 9:41

ઇસુએ ફરોશીઓના પાપ વિષે શું કહ્યું?

ઇસુએ તેમણે કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ના લાગત. જોકે, હવે તમે કહો છો, “અમે દેખાતા છીએ,” તમારું પાપ કાયમ રહે છે.