માર્કની લખેલી સુવાર્તા નવા કરારની ચાર સુવાર્તામાંનીએક છે જે ઈસુ ખ્રિસ્તના જીવન વિશે થોડુવર્ણન કરે છે.સુવાર્તાના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાઓ વિષે લખ્યું છે. ઈસુએ વધસ્તંભ પર કેવી રીતે સહન કર્યું અને મરણ પામ્યા તે વિષે માર્કે ઘણું લખ્યું છે. તેના વાચકો જેઓને સતાવવામાં આવ્યા હતા તેઓને ઉત્તેજન મળે માટે તેણે આ કર્યું. માર્કે કેટલાક યહૂદી રિવાજો અને કેટલાક અરામિક શબ્દો સમજાવ્યા છે. આ દર્શાવે છે માર્ક એવી અપેક્ષા રાખતો હતો કે તેના મોટાભાગના વાચકો વિદેશીઓ હશે.
અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક પ્રમાણે કહેવાનું પસંદ કરી શકે છે, માર્કની સુવાર્તા, અથવા માર્ક પ્રમાણેની સુવાર્તા. તેઓ કદાચ એવું શીર્ષક પણ પસંદ કરી શકે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, ઈસુ વિષેનો સારો સંદેશ જે માર્કે લખ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
આ પુસ્તક લેખકનું નામ આપતું નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તી સમયથી, મોટા ભાગના ખ્રિસ્તીઓ વિચારતા હતા કે લેખક માર્ક હતો.માર્કએ યોહાન માર્ક તરીકે પણ ઓળખાતો હતો. તે પિતરનો ઘનિષ્ઠ મિત્ર હતો. માર્ક કદાચ ઈસુએ જે કહ્યું અને કર્યું તેનો સાક્ષી ન હોય. પરંતુ ઘણા વિદ્વાનો એવું માને છે કે પિતરે ઈસુના વિષે જે કહ્યું તે માર્કે તેની સુવાર્તામાં લખ્યું.
લોકો ઈસુને રાબ્બી ગણતાહતાં.રાબ્બી એ ઈશ્વરના નિયમના શિક્ષક છે.ઇઝરાએલમાં બીજા ધાર્મિક શિક્ષકો જે રીતે શીખવતા હતા તે જ રીતે ઈસુ શીખવતા હતા. તેઓજ્યાં ગયા ત્યાં તેમને અનુસરનાર વિદ્યાર્થીઓ હતા.આ વિદ્યાર્થીઓને શિષ્યો તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ઘણીવાર દ્રષ્ટાંતો કહેતા હતા. દ્રષ્ટાંતો એ એવીવાર્તાઓ છે જે નૈતિક પાઠો શીખવે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses અને /WA-Catalog/gu_tw?section=kt#disciple અને /WA-Catalog/gu_tw?section=kt#parable)
માથ્થી, માર્ક અને લૂકની સુવાર્તાઓસામ્યતાયુક્ત સુવાર્તાઓ કહેવાય છે કારણ કે તેઓમાં ઘણા ફકરાઓ એક સમાન છે. ""સીનોપ્ટીક""શબ્દનો અર્થ ""એકસાથે જોવું.""એમ થાય છે.
જ્યારે લખાણ સરખા હોય અથવા બે કે ત્રણ સુવાર્તાઓ વચ્ચે લગભગ સમાન હોય ત્યારે તેને ""સમાંતર""ગણવામાં આવે છે. જ્યારે સમાંતર ફકરાઓનું અનુવાદ કરવામાં આવે ત્યારે, અનુવાદકોએ સમાન શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને જેટલું શક્ય બને એટલું સમાન બનાવવું જોઈએ.
સુવાર્તાઓમાં, ઈસુ પોતાને ""માણસનો દીકરો""કહે છે. તે દાનિયેલનો સંદર્ભ આપે છે,દાનિયેલ 7:13-14. આ ફકરામાં એક વ્યક્તિનું ""માણસના દીકરા""તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.જેનો અર્થ એમ થાયકે વ્યક્તિ એવું કોઈક છે જે માણસ જેવું લાગે છે.ઈશ્વરે માણસના દીકરાને સદાને માટે પ્રજાઓપર રાજ કરવાનો અધિકાર આપ્યો. અને સર્વ લોકો સદાને માટે તેમનું ભજન કરશે.
ઈસુના સમયના યહૂદીઓ માણસના દીકરા નો ઉપયોગ કોઈના શીર્ષક તરીકે કરતાં ન હતા.તેથી,ઈસુએ પોતાને માટે તેનો ઉપયોગ કર્યો કે જેથી તેઓ સમજી શકે કે ઇસુ ખરેખર કૉણ હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman)
ઘણી ભાષાઓમા ""માણસનો દીકરો""શીર્ષકનું અનુવાદ કરવુંમુશ્કેલ બની શકે છે. શાબ્દિક અનુવાદવાચકોમાં ગેરસમજ પેદા કરી શકે છે.અનુવાદકો વિક્લ્પોનેધ્યાનમાં લઈ શકે છે, જેમ કે“માનવીય.""શીર્ષકને સમજાવવા પાનાની નીચે ટૂંકી નોંધનો સમાવેશ કરવો મદદરૂપ બની શકે છે.
માર્કની સુવાર્તા ""તરત જ""શબ્દ બેત્તાળીસ વખત વાપરે છે. માર્ક પ્રસંગોને વધુ ઉત્તેજક અને આબેહૂબબનાવવા આમ કરે છે. તે વાચકને ખૂબ જલ્દીથી એક પ્રસંગમાંથી બીજા પ્રસંગમાં લઈ જાય છે.
નીચે આપેલ કલમો બાઈબલની જૂની આવૃત્તિઓમાં જોવા મળે છે પરંતુ તેનો સૌથી આધુનિક આવૃત્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે આ કલમોનો સમાવેશ ન કરે. છતાંપણ, જૉ અનુવાદકના ક્ષેત્રમાં, બાઈબલની જૂની આવૃત્તિઓમાં આવી એક કે વધુ ક્લમોહોયતો અનુવાદક તેનો સમાવેશ કરી શકે છે. જો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો તેને એ દર્શાવવા ચોરસ કૌંસમાં મુકવું જોઈએ ([]) કે તે કલમો કદાચ મૂળ માર્કની સુવાર્તા પ્રમાણે નથી.
નીચે પ્રમાણેના ફકરો પ્રથમના હસ્તપ્રતમાં જોવા મળતો નથી. મોટાં ભાગના બાઈબલો તેનો સમાવેશ કરે છે, પરંતુ આધુનિક બાઈબલો તેને કૌંસમાં મૂકે છે ([]) અથવા કોઈક રીતે સૂચિત કરે છે કે આ ફકરો મૂળ માર્કની સુવાર્તામાં નથી. આધુનિક બાઈબલની આવૃત્તિ પ્રમાણે કરવા અનુવાદકોને સલાહ આપવામાં આવે છે.
(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-textvariants)