John 3

John 3:1

નિકોદેમસ કોણ હતો?

નિકોદેમસ એક ફરોશી, યહુદીઓની ન્યાયસભાનો અધિકારી હતો.

John 3:2

નિકોદેમસે ઇસુને કઈ સાક્ષી આપી?

નિકોદેમસે ઇસુને કહ્યું, “ રાબ્બી અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે તે કરી શકે નહીં.”

John 3:3

ઇસુએ નિકોદેમસને શું કહ્યું જેથી તે ગૂંચવાઇ ગયો અને મૂંઝાઇ ગયો.

ઇસુએ નિકોદેમસને કહ્યું કે ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામવા માટે દરેક વ્યક્તિએ નવો જન્મ પામવોજ જોઈએ.

John 3:4

ઇસુએ નિકોદેમસને શું કહ્યું જેથી તે ગૂંચવાઇ ગયો અને મૂંઝાઇ ગયો.

ઇસુએ નિકોદેમસને કહ્યું કે ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામવા માટે દરેક વ્યક્તિએ નવો જન્મ પામવોજ જોઈએ.

નિકોદેમસે કયા પ્રશ્ન પૂછ્યા કે જેથી આપણને જણાય છે કે ઈસુના વિધાનોએ નિકોદેમસને ગૂંચવી અને મૂંઝવી નાખ્યો?

નિકોદેમસે કહ્યું, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?

John 3:10

ઇસુએ કઈ રીતે નિકોદેમસને ઠપકો આપ્યો?

તેમણે નિકોદેમસ ને એમ કહીને ઠપકો આપ્યો, “તું ઇસ્રાએલનો ઉપદેશક થઈને એ વાતો નથી જાણતો?”

John 3:13

આકાશમાં કોણ ચઢ્યું છે?

આકાશમાંથી જે ઉતર્યો છે તેના વિના આકાશમાં કોઈ ચઢ્યું નથી, માણસનો દીકરો.

John 3:14

માણસના દીકરાને કેમ ઊંચો કરાવો જોઈએ?

તેને ઊંચો કરાવો જોઈએ કે જેથી બધા કે કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમને અનંતજીવન મળે.

John 3:15

માણસના દીકરાને કેમ ઊંચો કરાવો જોઈએ?

તેને ઊંચો કરાવો જોઈએ કે જેથી બધા કે કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમને અનંતજીવન મળે.

John 3:16

#દેવે કઈ રીતે બતાવ્યું કે તેમણે જગત પર પ્રીતિ કરી?

તેણે તેનો પ્રેમ તેમનો એકાકીજનિત દીકરો આપીને બતાવ્યો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંતજીવન પામે.

John 3:17

શું દેવે જગતનો ન્યાય કરવા સારું પોતાનો દીકરો મોકલી દીધો?

ના, દેવે પોતાનો દીકરો મોકલી દીધો કે જેથી તેના દીકરા દ્વારા જગતનું તારણ થાય.

John 3:19

માણસો કેમ અપરાધી ઠરાવાય છે?

માણસો અપરાધી ઠરાવાય છે કારણકે જગતમાં અજવાળું આવ્યું, અને માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહયું કારણકે તેમના કામ ભૂંડા હતા.

John 3:20

જેઓ ભૂંડું કરે છે તેઓ અજવાળા પાસે કેમ આવતા નથી?

જેઓ ભૂંડું કરે છે તેઓ અજવાળનો દ્વેષ કરે છે અને અજવાળા પાસે આવતા નથી, કારણકે તેઓ તેમના કામો પ્રગટ થાય એવું ઇચ્છતા નથી.

John 3:21

જે સત્ય કરે છે તેઓ કેમ અજવાળા પાસે આવે છે?

તેઓ અજવાળામાં આવે છે કે જેથી તેમના કામ સ્પષ્ટ દેખાય અને તે જણાય કે તેમના કામો ઈશ્વરની આધીનતામાં કરાયા છે.

John 3:30

યોહાને ઇસુની સેવાની સરખામણીમાં યોહાનની પોતાની સેવા નું શું થશે તે વિષે શું કહ્યું?

યોહાને કહ્યું, “તે વધતો જાય, પણ હું ઘટતો જાઉં.”

John 3:33

જેમણે ઉપરથી, સ્વર્ગમાંથી આવેલ વ્યક્તિની સાક્ષી સાંભળી છે તેમણે શું મંજૂર રાખ્યું છે?

તેમણે મંજૂર રાખ્યું છે કે દેવ ખરો છે.

John 3:35

બાપે દીકરાના હાથમાં શું આપ્યું છે?

તેણે દીકરાના હાથમાં સઘળું આપ્યું છે.

John 3:36

દીકરા પર જે વિશ્વાસ કરે છે તેમને શું મળે છે?

તેમને અનંતજીવન મળે છે.

દીકરાનું જે માનતો નથી તેમનું શું થાય છે.

તેઓ જીવન નહીં દેખશે, પણ તેમના પર દેવનો કોપ રહે છે.